અમદાવાદ: દિનેશ શર્માએ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, શાસક પક્ષ બજેટ દિશાવિહીન છે. જેમાં શહેરની પ્રાથમિક સુવિધાઓને લઇને કોઇપણ વાત કરવામાં આવી નથી. જેમાં પાણીની પાઈપલાઈન હોય તેનો કોઈ રોડમેપ બનાવવામાં આવ્યું નથી. આ બજેટે લોકોને ગુમરાહ કરે તેવું બનાવવામાં આવ્યું છે. આ બજેટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભષ્ટ્રાચાર વધી રહ્યો છે. તેમજ અનેક કૌભાંડો સામે આવે છે. આપણે આમ પાંચ હજાર કરોડના વિકાસ કામો થવાની વાત માત્ર કાગળ પર જ છે. તે લોકોને સપના જ બતાવે છે.
વિપક્ષના સુધારો
1. તમામ મલ્ટીલેવલ પાર્કિંગને પ્રથમ કલાક માટે ફ્રી કરવામાં આવે.
2.શહેરમાં સ્કૂલ-કોલેજ ટ્યુશન ક્લાસમાં જવા માટે વિદ્યાર્થીઓને ફ્રી AMTS, BRTS બસ સેવા પૂરી પાડવામાં આવે.
3. ટ્રાફિકજામ વધુ છે, ત્યાં રોજ જાહેર કરી અને નાના કટ બંધ કરી નો યુ ટર્ન જાહેર કરવામાં આવે.
4. કોમર્શિયલ મિલકતોમાં પાણીના દરો નક્કી કરવામાં આવે.
5. પીવાનું પાણી પૂરું પાડવા માટે નીતિગત નિર્ણય તાત્કાલિક લેવામાં આવે.