મળતી માહિતી મુજબ શહેરના નવા નરોળામાં રહેતા દાનસિંઘ સિકરવાર ટ્રાવેલ્સનો ધંધો કરે છે. સોમવારના રોજ મેઘાણીનગરમાં વિદ્યાનગર પોલીસ ચોકીની બાજુમાં આવેલા એક પ્લોટમાં સર્વોદય સેવા સમિતિના મેમ્બર શિવદત શર્માએ સમાજનો સંમેલન કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, ધારાસભ્ય બલરામ થાવાણી તથા અન્ય કાઉન્સિલરો પણ હાજર હતા. એકબીજાને મળવાનો કાર્યક્રમ ચાલુ હતો ત્યારે અચાનક જ દૂરથી એક અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો હતો. જેમાંથી એક પથ્થર બલરામ થાવાણીની કાર પર પડતા કારનો કાચ તૂટી ગયો હતો. બીજો એક પથ્થર દાનસિંઘને વાગ્યો હતો.
સ્નેહમિલનના કાર્યક્રમાં BJP ધારાસભ્ય પર પથ્થરમારો - ધારાસભ્ય બલરામ થાવાણી
અમદાવાદ: શહેરના મેઘાણીનગરમાં દિવાળી નિમિતે એક સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બલરામ થાવાણી સહિત અનેક લોકો હાજર હતા. આ કાર્યક્રમમાં એક શખ્સે પથ્થરમારો કર્યો હતો. જેમાંથી એક-બે પથ્થર ધારાસભ્ય બલરામ થાવાણીની કાર પર પડ્યાં હતા. જે બાદમાં કારનો કાચ તૂટી ગયો હતો. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
BJP ધારાસભ્ય
કોઈ કંઈ સમજે તે પહેલાં જ આ ઘટના બની ગઈ હતી. બનાવ બાદ દાનસિંઘને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે દાનસિંઘે પોલીસને જાણ કરતા મેઘાણીનગર પોલીસે IPC 337, 427 મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ બાબતે મેઘાણીનગર PIનું કહેવું છે કે કોઈએ વીડિયો લીધો હશે તો તેની તપાસ કરીને આરોપીને પકડીશું, આ ઉપરાંત આસપાસના CCTV ફૂટેજ કબ્જે કરીને તપાસ કરવામાં આવશે.