ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ નિષ્ફળતા છુપાવવા નિવેદનબાજીની વ્હારેઃ અમિત ચાવડા - એનઆરસી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી NRC અને CAAનો વિરોધ બેકાબુ બન્યો છે. ગુજરાતમાં હિંસા ફેલાઈ છે. પ્રદર્શન દરમિયાન પોલીસ પર હૂમલાની ઘટનાઓ પણ સામે આવી છે. તેમજ જાહેર માલ મિલકતને નુકસાન પણ કરાયું છે, આ સમગ્ર ઘટનાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ વખોડી નાખ્યું છે અને જણાવ્યું છે કે ભાજપ રાજનિતી ન કરે અને માત્ર તોફાનોને અટકાવવા માટે તેમજ કાયદો અને વ્યવસ્થાને જાળવા પગલા લે.

ભાજપ સરકાર નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ પર આક્ષેપ કરી રહી છેઃ અમિત ચાવડા
ભાજપ સરકાર નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ પર આક્ષેપ કરી રહી છેઃ અમિત ચાવડા

By

Published : Dec 20, 2019, 8:23 PM IST

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય બનાવે અને રાજ્ય સરકારે આગોતરુ આયોજન કર્યું હોત તો હિંસા ન થઈ હોત. ભાજપની સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ પર આક્ષેપો કરતું આવ્યું છે.

ભાજપ સરકાર નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ પર આક્ષેપ કરી રહી છેઃ અમિત ચાવડા

અમીત આવડાએ વધુમાં કહ્યું હતું કે શંકાના આધારે શહેઝાદખાન પઠાણની ઘરપકડ કરવામાં આવી છે. જે પણ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી થવી જોઈએ. ભાજપ હિંસા કરાવતું આવ્યું છે અને પછી કોંગ્રેસ પર આક્ષેપ કરે છે. સીએએના વિરોધમાં શાંતિથી આંદોલન થઈ રહ્યું હતું, પણ તેમને ઉશ્કેરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર રાજનીતિક હિસાબો પુરા કરવા સરકાર કાર્યવાહી ન કરે.

ABOUT THE AUTHOR

...view details