ગુજરાત

gujarat

ETV Bharat / state

અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવાની અરજી કોર્ટે ફગાવી - alpesh kathriya

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કન્વીનર અલ્પેશ કથિરિયા સામે અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં મળેલા જામીન રદ કરવાની સરકારની અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે.

bail application rejected by court

By

Published : Sep 19, 2019, 1:33 AM IST

પોલીસની રજૂઆત હતી કે અમદાવાદમાં 2015માં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં 20-11-2018ના રોજ હાઇકોર્ટે અલ્પેશને જામીન આપ્યા હતા. આ જામીન અંતર્ગત કેટલીક શરતોનું પાલન કરવાનો આદેશ પણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. જામીનની શરત હતી કે દર મહિના બીજા અને ચોથા સોમવારે તપાસ અધિકારી સમક્ષ હાજર થવું પરંતુ અત્યાર સુધીમાં તે ત્રણ વાર જ પોલીસ સમક્ષ હાજર થયો છે.

આ ઉપરાંત તે કાયદો અને વ્યવસ્થા ખોરવાઇ તેવી વર્તણૂક કરતો હોવાથી તેના જામીન રદ થવા જોઇએ. જો કે આ રજૂઆતોના અંતે કોર્ટે સરકારની અરજી ફગાવી છે. ઓગસ્ટ-2015માં પાટીદાર અનામત આંદોલનની સભા સમયે સરકાર પ્રત્યે લોકોમાં તિરસ્કાર અને અનાદર પેદા થાય તેવાં પ્રયત્નો અને લોકોમાં તંગદિલી ફેલાવવાના આરોપસર અમદાવાદમાં અલ્પેશ કથિરિયા સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details