પાસ નેતા અલ્પેશ કથીરિયાના તડિપારની શરતે હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા - સુરત
અમદાવાદઃ રાજદ્રોહ કેસમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાના બુધવારે હાઈકોર્ટના જસ્ટિસ વી.એમ પંચોલીએ જામીન મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે. હાઈકોર્ટે 6 મહિના સુધી સુરત શહેરમાં ન પ્રવેશવાની શરતે જામીન મંજૂર કર્યા હતા.

પાસ નેતા અલ્પેશ કથીરિયાના હાઇકોર્ટે જામીન કર્યા મંજુર અને કર્યો તડિપાર
અરજદાર અલ્પેશ કથીરિયા વતી વકીલ ઝુબિન ભરડાએ રજૂઆત કરી કે, સરથાણા પોલીસ સ્ટેશનમાં અસભ્ય વર્તન અયોગ્ય હતું, પરંતુ હવે આવું નહીં થાય તેના માટે કોર્ટ સમક્ષ અંડર ટેકિંગ રજૂ કર્યું હતું. ડાંગ જિલ્લામાં અકસ્માત પીડિતો માટે વળતર માંગનારા અલ્પેશ વિરૂધ પોલીસે ખોટી જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. અગાઉ પણ અલ્પેશને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા, ત્યારે પણ દોઢ વર્ષ સુધી કોઈ વિવાદાસ્પદ વર્તન કર્યું ન હતું.
પાસ નેતા અલ્પેશ કથીરિયાના હાઇકોર્ટે જામીન કર્યા મંજુર અને કર્યો તડિપાર