અક્ષરધામ હુમલોઃ મુખ્ય આરોપી મોહમદ યાસીનને અમદાવાદ લવાયો - gujarati news
અમદાવાદઃ ગાંધીનગર અક્ષરધામ હુમલાના મુખ્ય સૂત્રધાર મોહમદ યાસિનને અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં પહેલેથી જ કડક બંદોબસ્ત સાથે કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા હતા.
akshardham attack accused mohammad yasin
આરોપીને જમ્મુ-કાશ્મીરથી હવાઈ માર્ગે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. આતંકવાદી યાસિન ગુલામ બટને અમદાવાદ એરપોર્ટ પર આગમન પહેલા જ ચેતક કમાન્ડો સજ્જ કરવામાં આવ્યા હતા. તેમજ એરપોર્ટ ખાતે ચુસ્ત કડક બંદોબસ્ત વચ્ચે આતંકવાદીને લાવવામાં આવ્યો હતો.