ગુજરાત

gujarat

By

Published : Jul 24, 2020, 9:56 PM IST

ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્ય : કોરોના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,159 પર પહોંચી

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધતો જઇ રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. શુક્રવારના રોજ નવા 15 કેસ નોંધાતા ગ્રમ્ય વિસ્તારનો કુલ આંકડો 1,159 પર પહોંચ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય : કોરોના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,159 પર પહોંચી
અમદાવાદ ગ્રામ્ય : કોરોના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,159 પર પહોંચી

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે સાંજ સુધીમાં નવા 15 કેસ નોંધાતા કુલ આંકડો 1,159 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી.

આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 300ને વટાવી ગયો છે અને અન્ય 2 તાલુકા સાણંદ-દસક્રોઈમાં પણ કોરોનાનો આંકડો 200ને પાર પહોંચી ગયો છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા પોઝિટિવ કેસનો આંકડો 310 અને સાણંદમાં 273 નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલું થાય છે.

દસક્રોઈ 212, બાવળામાં 125 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા છે. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા 40, વિરમગામ 124, બાવળા -125 અને માંડલ તાલુકામાં 41 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી પણ 58 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદ ગ્રામ્ય : કોરોના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,159 પર પહોંચી

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.35 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકની કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં 32 હજાર જેટલા ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે.

ધોળકામાં 310 અને સાણંદમાં 273 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલોતો અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details