અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જનરલ બોર્ડમાં આજ હાટકેશ્વર બ્રિજને 1 મહિના થયો તેમ છતાં તોડવામાં કેમ નથી આવ્યો અને બિલ્ડર છેલ્લા 1 મહિનાથી ફરાર છે તો તેની ધરપકડ કેમ કરવામાં આવતી નથી તે મુદ્દો ગાજ્યો હતો. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના 20 કામો બિલ્ડરને 80 કરોડના વધારા સાથે આપવામાં આવ્યા છે. જેને લઈ વિપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતાં.
- Ahmedabad News : અંતે ભ્રષ્ટાચારનો બ્રિજ તોડી પડાશે, હાટકેશ્વર બ્રિજ તોડી નવો બનાવાશે, ચાર અધિકારી સસ્પેન્ડ
- AMC: બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરો સાથે એકને ખોળ બીજાને ગોળની નીતિ કેમ? વિપક્ષના સળગતા સવાલ
- Protest for Bridge: કાર્યવાહી કરો છો કે પછી અમે હાઈકોર્ટ જઈએ, હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષે આપી AMCને ચિમકી
જનરલ બોર્ડમાં વિપક્ષના પ્રહાર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક કામને મંજૂરી આપવામાં આવતી હોય છે. અમુક કામોમાં ભ્રષ્ટાચાર અથવા તે કામ સમય મર્યાદામાં પુરા થતા ના હોય તેવા કેસ પણ સામે આવતા હોય છે. ત્યારે આજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માસિક જનરલ બોર્ડમાં રોડ બિલ્ડીંગ કામો લઈને વિપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતાં. ભાજપ તેને બચાવવાનો પ્રયત્ન કરી રહી હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
હાટકેશ્વર બ્રિજ માટે જે કમિશનર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇતિહાસ સૌથી ઉત્તમ નિર્ણય કહી શકાય છે. હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રકટરને બ્લેક લિસ્ટ અને પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી પોલીસ તેમને પકડી શકી કેમ નથી. આ સાથે એવું સાબિત થઈ રહ્યું છે. સાથે 1 મહિનાથી બ્રિજના તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે છતાં હજુ કેમ ભ્રષ્ટાચારનો બ્રિજ હજુ સુધી કેમ તોડવામાં નથી આવ્યો. શહેઝાદખાન પઠાણ (વિપક્ષ નેતા, એએમસી)