ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ મનપા દ્વારા કોરોના વાયરસ ટેસ્ટિંગ વાન લોન્ચ કરવામાં આવી

કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા કોરોના પોઝિટિવ કેસીસની ઝડપી માહિતી મળે તે ખૂબ જ જરુરી છે. જેને લઇને અમદાવાદ કોર્પોરેશન દ્વારા મોબાઈલ વાન લોન્ચ કરવામાં આવી છે જે મેડિકલ સ્ટાફ સાથે ક્લસ્ટર વિસ્તારોમાં રીફર કરાયેલા લોકોનો કોરોના ટેસ્ટ કરશે.

અમદાવાદ મનપા દ્વારા કોરોના વાયરસ ટેસ્ટિંગ વાન લોન્ચ કરવામાં આવી
અમદાવાદ મનપા દ્વારા કોરોના વાયરસ ટેસ્ટિંગ વાન લોન્ચ કરવામાં આવી

By

Published : Apr 7, 2020, 2:29 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગ વાન લોન્ચ કરવામાં આવી છે. આ વાન શહેરના જુદા-જુદા સાત ઝોનમાં ફરશે. આ વાન લોકોના ઘર સુધી પહોંચી સર્વે અને સારવાર આપવાનું કામ કરશે. વાનમાં ડોક્ટરો સહિત 4 લોકોનો સ્ટાફ 24 કલાક તહેનાત રહેશે. કોરોના સામે ફાઇટ આપવા માટે મહાનગર પાલિકાએ આ પ્લાન તૈયાર કર્યો છે.

અમદાવાદ મનપા દ્વારા કોરોના વાયરસ ટેસ્ટિંગ વાન લોન્ચ કરવામાં આવી
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વધુમાં વધુ ટેસ્ટ કરવા માટે મોબાઇલ ટેસ્ટીંગ વાન શરૂ કરવામાં આવી છે. આ વાનમાં ડોક્ટરો સહિતનો સ્ટાફ 24 કલાક હાજર રહેશે આ વાન કન્ફર્મ કે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો, ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરેલા વિસ્તારના લોકો, હેલ્થ વિભાગના સર્વે દરમિયાન રીફર કરાયેલા લોકોનો ટેસ્ટ કરશે. વાનમાં આ સ્ટાફ રહેશે તહેનાત
  • કોવિડ-19 ટેસ્ટિંગનું સેમ્પલ કલેક્શન માટેના એક્સપર્ટ
  • તબીબોઆર.બી .એસ .કે મેડિકલ ઓફિસર
  • મલ્ટી પર્પઝ હેલ્થવર્કર
  • ડ્રાઇવર

ABOUT THE AUTHOR

...view details