અમદાવાદ મનપા દ્વારા કોરોના વાયરસ ટેસ્ટિંગ વાન લોન્ચ કરવામાં આવી - કોરોના વાયરસ ટેસ્ટિંગ વાન
કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા કોરોના પોઝિટિવ કેસીસની ઝડપી માહિતી મળે તે ખૂબ જ જરુરી છે. જેને લઇને અમદાવાદ કોર્પોરેશન દ્વારા મોબાઈલ વાન લોન્ચ કરવામાં આવી છે જે મેડિકલ સ્ટાફ સાથે ક્લસ્ટર વિસ્તારોમાં રીફર કરાયેલા લોકોનો કોરોના ટેસ્ટ કરશે.
![અમદાવાદ મનપા દ્વારા કોરોના વાયરસ ટેસ્ટિંગ વાન લોન્ચ કરવામાં આવી અમદાવાદ મનપા દ્વારા કોરોના વાયરસ ટેસ્ટિંગ વાન લોન્ચ કરવામાં આવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6696009-thumbnail-3x2-testingvan-7207084.jpg)
અમદાવાદ મનપા દ્વારા કોરોના વાયરસ ટેસ્ટિંગ વાન લોન્ચ કરવામાં આવી
અમદાવાદઃ અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગ વાન લોન્ચ કરવામાં આવી છે. આ વાન શહેરના જુદા-જુદા સાત ઝોનમાં ફરશે. આ વાન લોકોના ઘર સુધી પહોંચી સર્વે અને સારવાર આપવાનું કામ કરશે. વાનમાં ડોક્ટરો સહિત 4 લોકોનો સ્ટાફ 24 કલાક તહેનાત રહેશે. કોરોના સામે ફાઇટ આપવા માટે મહાનગર પાલિકાએ આ પ્લાન તૈયાર કર્યો છે.
અમદાવાદ મનપા દ્વારા કોરોના વાયરસ ટેસ્ટિંગ વાન લોન્ચ કરવામાં આવી
- કોવિડ-19 ટેસ્ટિંગનું સેમ્પલ કલેક્શન માટેના એક્સપર્ટ
- તબીબોઆર.બી .એસ .કે મેડિકલ ઓફિસર
- મલ્ટી પર્પઝ હેલ્થવર્કર
- ડ્રાઇવર