અમદાવાદ : કોંગ્રેસ દ્વારા આજે 40 વર્ષથી બંધ પડેલી મિલના કામદારોના હકો અને અધિકાર માટે મજુર મહાસંગ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે આક્ષેપ કર્યા હતા કે, છેલ્લા 40 વર્ષથી પોતાના હક અને લેવાની વ્યાજની રકમ માટે કામદારો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. ગરીબ માણસના અધિકાર અને હકો સાથે રમત કરતા પરિબળોને દાખલા રૂપી સજા કરવામાં આવે તેવી વિનંતી સરકાર પાસે કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો : કોંગ્રેસના દીપક બાબરીયાએ જણાવ્યું હતું કે, 40 વર્ષ પહેલા બંધ થયેલી મિલો 40 વર્ષથી કામદારો પોતાનો હક માટે જજુમી રહ્યા છે. જેમાંની એક અરજી હાઇકોર્ટમાં ચાલી રહી છે. જેમાં આઠ કરોડમાંથી હજુ સુધી એક કરોડ રૂપિયા જ આપવામાં આવ્યા છે. હજુ પણ સાત કરોડ જેટલી રકમ મજૂરોને આપવાની બાકી છે. અમદાવાદ શહેરના મજૂરોની જમીન પડાવી લેવાનો કારસો કર્યો હતો. ત્યારે આપ મજૂર કામદારોને 1983થી PF અને વ્યાજની રકમ આપવાની બાકી છે. જેને લઈને આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કામદારો સાથેનો વિશ્વાસઘાત :વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટમાં પ્રસાદ મિલની 500 કરોડની જમીન કામદારોના 40 વર્ષના વિલંબ માટેના બેંકના સરેરાશ વાર્ષિક ડિપોઝિટ જેટલાં વ્યાજ સાથેના 180 કરોડના લેણાની રકમની સામે 7 કરોડમાં પતાવટ કરી. આ સ્કીમના નામે 25 કરોડમાં આપી દેવાની દરખાસ્તને ગુજરાત હાઇકોર્ટમાં બિલ્ડરો સાથેના મેળા પાણીમાં મહાજનની મંજૂરીએ મિલ કામદારો સાથેનો કારમો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.