ગુજરાત

gujarat

By

Published : Oct 24, 2019, 7:00 PM IST

ETV Bharat / state

ઈશરત જહાં કેસ: CBIએ સતત ત્રીજી વખત સુનાવણી ટાળી

અમદાવાદઃ વર્ષ 2004 ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ IPS ડી.જી. વણઝારા, એન.કે અમીન સહિત 3 આરોપીઓને કોર્ટ દ્વારા દોષ મુક્ત જાહેર કરાયા બાદ આ કેસના અન્ય 4 આરોપીઓ દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી મુદે ગુરુવારે સ્પેશયલ કોર્ટમાં CBIના વકીલ દ્વારા એક્ઝેમશન અરજી દાખલ કરતા કોર્ટે તેને માન્ય રાખી વધુ સુનાવણી 13મી નવેમ્બરના રોજ નિયત કરી છે

ઈશરત જહાં કેસ : CBIએ સતત ત્રીજી વખત સુનાવણી ટાળી

CBIના વકીલ આર.સી. કોડેકર દ્વારા દાખલ કરવામાં આવેલી એકઝેમશન અરજીમાં દલીલ કરવામાં આવી છે કે તેમના હાઈકોર્ટમાં વધુ કેસ હોવાથી ત્યાં હાજર થવું પડશે માટે તેમને આ કેસમાં હાજરીમાંથી છુટ આપવામાં આવે જેને માન્ય રાખીને કોર્ટે વધુ સુનાવણી 13મી નવેમ્બરના રોજ હાથ ધરવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સતત 3 વાર આ કેસની સુનાવણી કઈ કારણસર ટળી છે. અગાઉ 1લી અને 17મી ઓક્ટોબરના રોજ પણ સુનાવણી ટળી હતી.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં 21મી સપ્ટેમ્બરના રોજ CBI દ્વારા કોર્ટમાં લેખિત જવાબ રજુ કરવામાં આવ્યો હતો જેમાં CBIએ 4 પોલીસ અધિકારીઓ વિરૂધ ષડયંત્ર, હત્યા, સહિતના ગુના દાખલ થયા હોવાથી તેમની ડિસ્ચાર્જ અરજી રદ કરવામાં આવે તેવી માગ કરી હતી. CBIએ 4 પાનાના લેખિત જવાબમાં ડી.જી વણઝારા અને અન્ય આરોપીઓ વિરૂધ કેસ ચલાવવાની CRPCની કલમ 197 મુજબ પરવાનગી આપી ન હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સામેલ અન્ય 4 આરોપી જયસિંહ પરમાર, ગીરીશ કુમાર સિંગલ, અનાજુ ચૌધરી અને તરુણ બારોટ દ્વારા દોષ-મુક્ત જાહેર કરવા CBI કોર્ટમાં અરજી દાખલ કરી હતી.ઉલ્લેખનીય છે કે આ કેસમાં સંડોવાયેલા ડીજી વણઝારા સહિત 3 આરોપીઓ વિરૂધ CRPCની કલમ 197 મુજબ કેસ ચલાવવાની પરવાનગી ન આપતા આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી.

કોર્ટમાં ઈશરતની માતા શમીમા કૌસર તરફે વકીલ વૃંદા ગ્રોવરે રજુઆત કરતા જણાવ્યું હતું કે CRPCની કલમ 197 અને આરોપી દ્વારા કરાયેલી કેસ ડ્રોપની અરજી સાથે કોઈ સંબંધ નથી. બંને આરોપીઓને કેસ ડ્રોપ મુદે પોતાની નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે. નિર્દોષતા પુરવાર થાય તો જ કેસ ડ્રોપ એટલે કે બંને આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવી શકે. આ મામલે બધા જ પુરાવા કોર્ટ સમક્ષ રજુ કરાયા પણ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરાઈ નથી. ઈશરત અને તેના સાગરીતોની ધરપકડ થઈ શકતી હતી. પરતું, તેમનું અપહરણ કરી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

વર્ષ 2004માં અમદાવાદના નરોડા વિસ્તાર પાસે મુંબઈની ઈશરત જહાં , જાવેદ શેખ , અમજદ અલી રાણા અને જીશાન જોહરની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details