અમદાવાદઃ શહેરના હાટકેશ્વર સર્કલ પાસેના રસ્તા પર શાકભાજી અને ફેરિયાઓ સાથે સાથે ઉભા છે, જ્યાં લોકો પણ ખરીદવા માટે કોઈ પણ સામાજિક અંતર રાખ્યા વિના ઉભા છે. ત્યારે આ બેદરકારીના કારણે કોરોના વાયરસ અટકાવવાનો બદલે વાઇરસ વધુ ફેલાઈ શકે છે.
અમદાવાદ શહેરના હાટકેશ્વરમાં શાકભાજી માટેની લોકોની ભીડ ઉમટી - શાકભાજી માટેની લોકોની ભીડ ઉમટી
અમદાવાદમાં લોકડાઉનમાં જીવન જરૂરિયાત વસ્તુઓની માટે દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે અનેક વિસ્તારોમાં શાકભાજીની લારી પણ જોવા મળે છે, પરંતુ કેટલાક વિસ્તારમાં લોકો શાકભાજીની લારી પર ટોળેટોળા કરીને ઉભા હોય છે, જેનાથી કોરોના વાયરસ વધુ ફેલાઈ શકે છે.
અમદાવાદ શહેરના હાટકેશ્વરમાં શાકભાજી માટેની લોકોની ભીડ ઉમટી
લોકો એક સાથે ભેગા થશે તો વાયરસ ઝડપથી ફેલાય તેવી શક્યતાઓ વધુ જોવા મળી રહી છે. પોલીસની સમજાવટ બાદ પણ લોકો પાલન નથી કરતા ત્યારે લોકોએ નૈતિક જવાબદારી સમજીને પાલન કરવું જોઈએ.