અમદાવાદમાં અનોખી રીતે માટીના ગણપતિનું વિસર્જન - વિસર્જન
અમદાવાદઃ સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવ ભારે ધૂમધામથી ઉજવાય રહ્યો છે, ત્યારે પીઓપીની મૂર્તિની સ્થાપના કરી તેને જળાશયોમાં વિસર્જિત કરવાથી નદી તળાવમાં ભારે પ્રદૂષણ ફેલાય છે અને જળચર પ્રાણીઓ પણ આવા પ્રદૂષણનો ભોગ બને છે. દર વર્ષે ગણપતિ બાપાની ઊંચી ઊંચી મૂર્તિઓ અને અવનવા રૂપમાં ઢાળવા કારીગરો મહિનાઓ અગાઉથી કામ શરૂ કરી દે છે. પ્લાસ્ટર ઓફ પેરિસ અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરી બનાવવામાં આવેલી વિશાળ મૂર્તિ અને અફલાતૂન ડેકોરેશન જોવામાં સુંદર લાગે છે, પરંતુ વિસર્જન બાદ તે જ મૂર્તિ અને પ્લાસ્ટિકનો કચરો પ્રદુષણ ફેલાવવામાં મોટો ભાગ ભજવતો હોય છે.

અનોખી રીતે માટીના ગણપતિનું વિસર્જન, વિસર્જન માટે વપરાયેલા પાણીથી ગોટા ઉગાડાશે
કેમિકલ અને પીઓપીમાંથી બનેલી મૂર્તિથી પર્યાવરણ અને દરિયાઈ સૃષ્ટિને ભયંકર નુકશાન થાય છે. તે બાબતે જાગૃતિ આપતા હવે પેપર માટે પ્રાકૃતિક રંગો અને વૃક્ષમાંથી નીકળતા ગુંદરમાંથી બનાવેલી ઇકોફ્રેન્ડલી મૂર્તિ પ્રત્યે ભક્તોનો ઝુકાવવા વધ્યો છે અને વિસર્જન માટે પણ લોકો અવનવા પ્રયાસો કરતા હોય છે. જેનાથી પર્યાવરણ સુરક્ષિત રહે અને આવો જ એક પ્રયાસ કર્યો છે શહેરના શિલ્પા ચોકસીએ.
અનોખી રીતે માટીના ગણપતિનું વિસર્જન, વિસર્જન માટે વપરાયેલા પાણીથી ગોટા ઉગાડાશે
Last Updated : Sep 10, 2019, 10:43 PM IST