ગુજરાત

gujarat

અમદાવાદઃ તહેવારોનો માહોલ છતાં કોરોનાના કારણે પાટડીના બજારો સુમસામ

By

Published : Oct 20, 2020, 3:43 PM IST

કોરોનાના ડરના કારણે લોકો બજારમાં જવાનું ટાળી રહ્યા છે. જેના કારણે નાના મોટા તમામ ધંધાને ખૂબ નુકસાન પહોંચી રહ્યું છે. આવી જ સ્થિતિ વિરમગામના પાટડીમાં જોવા મળી રહી છે. પાટડીમાં 89 ગામના લોકો દર વર્ષે ખરીદી કરવા આવે છે. હાલમાં તહેવારોની સિઝન હોવા છતાં પાટડીના બજારો સુમસામ ભાસી રહ્યા છે. ગ્રાહકો ન આવવાથી વેપારીઓ પણ નવરા બેઠાં બેઠાં કંટાળી ગયા છે.

અમદાવાદઃ તહેવારો છતાં કોરોનાને કારણે પાટડીના બજારો સુમસામ
અમદાવાદઃ તહેવારો છતાં કોરોનાને કારણે પાટડીના બજારો સુમસામ

• પાટડીની બજારો તહેવાર હોવા છતાં સુમસામ

• 89 ગામના લોકો ખરીદી કરવા પાટડી આવે છે

• તહેવારોને લીધે વેપારીઓએ લાખો રૂપિયાનો માલ દુકાનમાં ભરેલો છે

વિરમગામઃ એવો એક પણ ધંધો નથી જેને કોરોનાને કારણે નુકસાન ન વેઠવું પડ્યું હોય. આવી જ રીતે વિરમગામના પાટડીમાં પણ કોરોનાને કારણે બજારો સુમસામ જોવા મળી રહી છે. 89 ગામના લોકો પાટડીમાં ખરીદી કરવા આવે છે, પરંતુ આ વખતે કોરોનાના ગ્રહણને કારણે આ વખતે પાટડીના બજારોમાં ગ્રાહકો નહીંવત જોવા મળી રહ્યા છે.

અમદાવાદઃ તહેવારો છતાં કોરોનાને કારણે પાટડીના બજારો સુમસામ

લાખો રૂપિયાનો માલ સામાન દુકાનમાં છે, પરંતુ ગ્રાહકો નહીંવત્ છે

આ અંગે પાટડીના દુકાનદારોએ કહ્યું, તહેવારને ધ્યાનમાં રાખી અમે લાખો રૂપિયાનો માલ સામાન દુકાનમાં ભરી રાખ્યો છે. કોરોના પહેલા 89 ગામોમાંથી લોકો પાટડીમાં ખરીદી કરવા આવતા હતા, પરંતુ આ વખતે કોરોનાને કારણે અમારો માલ સામાન ખરીદવા કોઈ ગ્રાહક નથી આવી રહ્યું. પાટડીના બજારોને આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો છે. આથી બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details