ઝેન કાઉન્સલિંગ દ્વારા લોકોના આંતરિક વિસ્તારના સંપર્કમાં આવીને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે. એ પણ કોઈપણ પ્રકારની સલાહ સૂચન વિના. ચિંતા ડિપ્રેશન હેલ્થ પ્રોબ્લેમ સ્ટડી જેવા અનેક ઇસ્યુઝ અહીં સોલ્વ કરવામાં આવે છે. આ એક એડિશનલ ટુલ છે ધ્યાન યોગ કે અન્ય ડિસિપ્લિનનું. જેના દ્વારા લોકો અંદરની દુનિયામાં પ્રવેશી પોતાની તેમજ બીજાની સમસ્યાનું સમાધાન શોધી શકે છે.
અમદાવાદમાં ઝેન કાઉન્સિલીંગ દ્વારા ટ્રેનિંગ પ્રોગ્રામના લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો - Ahmedabad news
અમદાવાદ: શહેરમાં ઝેન કાઉન્સિલીંગ તે બુદ્ધિઝમ કોન્સેપ્ટ પર બનેલું અલગ પ્રકારનું પીસફૂલ કાઉન્સેલિંગ બુદ્ધા દ્વારા ક્રિએટ કરવામાં આવ્યું છે. જેના મહત્વને ધ્યાનમાં રાખી લવિંગ ફાઉન્ડેશન દ્વારા કાઉન્સેલિંગ અસોસિએશન ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી હતી. જે અંતગર્ત ટ્રેનિંગ પ્રોગ્રામ લોન્ચ કરાયો હતો. જેમાં ડૉક્ટર રોનક ગાંધી ઉપરાંત ઇન્ટરનેશનલ ડિઝાઇન કાઉન્સિલિંગ અસોસિએશન જાપાનના માસ્ટર ટ્રેનર કનીજ ઇશીમારૂ હાજર રહ્યાં હતાં.
અમદાવાદમાં ઝેન કાઉન્સિલીંગ દ્વારા ટ્રેનિંગ પ્રોગ્રામના લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
આમ, આ ટ્રેનિંગ પ્રોગ્રામના લોન્ચિંગ સમયે ડૉક્ટર રોનક ગાંધી ઉપરાંત ઇન્ટરનેશનલ ડિઝાઇન કાઉન્સિલિંગ અસોસિએશન જાપાનના માસ્ટર ટ્રેનર કનીજ ઇશીમારૂ હાજર રહ્યાં હતાં. જેમની 10 બુલ ઓફ ઝેન કાઉન્સિલિંગ નામની બૂક પણ લોન્ચ કરવામાં આવી હતી.