ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં દેવું થઈ જતા અમદાવાદના વેપારીએ આત્મહત્યા કરી - ahemdabad latest news

અમદાવાદમાં લોકડાઉનના પગલે મંદી અને ધંધામાં દેવું થઈ જતા વેપારીએ આપઘાત કર્યો હતો. નિકોલ વિસ્તારના ડી માર્ટ પાસે આવેલા સહજાનંદ રેસિડેન્સીમાં રહેતા વેપારીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતુ.

લોકડાઉનમાં દેવું થઈ જતા અમદાવાદના વેપારીએ આત્મહત્યા કરી
લોકડાઉનમાં દેવું થઈ જતા અમદાવાદના વેપારીએ આત્મહત્યા કરી

By

Published : May 21, 2020, 12:40 PM IST

અમદાવાદઃ લોકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી ધંધો વેપાર બંધ થઈ ગયો છે. જેને કારણે લોકોની આવક પર બ્રેક લાગી છે. આવકનું કોઈ સાધન ન રહેતા લોકો અસહાય બની ગયા છે. આવામાં લોકો નાસીપાસ થઈ રહ્યાં છે. મયુર યાદવ નામના એમ્બ્રોઈડરીના વેપારી યુવકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એમ્બ્રોઈડરીનો બિઝનેસ લોકડાઉનને કારણે ઠપ્પ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં અનેક લોકો નાસીપાસ થઈને આત્મહત્યાનું પગલુ અપનાવી રહ્યાં છે. થોડા દિવસો પહેલા એક ખેડૂતે પણ આત્મા હત્યા કરી હતી. ઉપરાંત ગત રાત્રે વટવા વિસ્તારમાં રહેતા ડિવિઝન ટ્રાફીકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details