અમદાવાદ: શહેરના કોટ વિસ્તારોમાં એક મહિના કરતા વધુ સમયગાળા દરમિયાન BSF, CRPF, SRP તથા અર્ધલશ્કરી દળની અલગ-અલગ ટુકડી તૈનાત કરવામાં આવી હતી. આ તમામ ટુકડીઓ હવે એક મહિના કતાં વધુ સમય બાદ તેને પરત ખેંચવામાં આવી છે.
અમદાવાદ શહેરમાંથી એક મહિના બાદ અર્ધલશ્કરી દળ પરત ખેંચાયું
કોરોના વાઈરસના પગલે રાખવામાં આવેલા લોકડાઉનને લઈને શહેરના કોટ વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા તથા કોઈ અરાજકતા સર્જાય નહીં તે માટે અર્ધલશ્કરી દળ તૈનાત કરવામાં આવ્યું હતું. જેને એક મહિનાથી પણ વધુ સમય વિત્યા બાદ હવે આ દળ પાછું ખેંચવામાં આવ્યું છે.
Published : Jun 2, 2020, 11:53 AM IST
Published : Jun 2, 2020, 11:53 AM IST
|Updated : Jun 2, 2020, 3:33 PM IST
અમદાવાદ
આ તમામ અર્ધલશ્કરી દળની ટુકડીઓ તેમના કેમ્પ તરફ પાછી વળી છે. હવે શહેરમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. અનલોક-1 બાદ હવે લોકોએ જાતે જ જાગૃતતા દાખવી કોરોનાથી પોતાનું રક્ષણ કરવું પડશે. લોકોએ સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી કોરોના સાથે લડવું પડશે.
Last Updated : Jun 2, 2020, 3:33 PM IST