ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વ હિન્દુ પરિષદ અમદાવાદ ખાતેના કાર્યાલયે નિ:શુલ્ક ચિકિત્સાલય ખોલશે - vijayshankar tivari

અમદાવાદઃવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધાર્મિક ,સામાજિક અને શૈક્ષણિક કામો પણ થઈ રહ્યા છે ત્યારે દેશમાં સ્વાસ્થ્યની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં પણ ચિકિત્સાલય ખોલવામાં આવશે જેમાં નાગરિકોને નિઃશુલ્ક સ્વાસ્થ્યની સેવા આપવામાં આવશે.

અમદાવાદ: લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે VHP કાર્યાલય ખાતે નિઃશુલ્ક ચિકિત્સાલય ખુલશે...

By

Published : Jun 16, 2019, 6:35 PM IST

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિજયશંકર તિવારીએ જણાવ્યું હતું કે પહેલાનો સમયમાં 80 ટકા લોકો સ્વસ્થ હતા અને 20 ટકા લોકો બીમાર રહેતા હતા ત્યારે હવે 20 ટકા લોકો જ સ્વસ્થ છે અને 80 ટકા લોકો બીમાર રહે છે દેશમાં દર બાર હજાર માણસ પર એક ડૉક્ટર સરેરાશ છે જ્યારે w.h.o. ના માર્ગદર્શન પ્રમાણે 1200 માણસોએ એક ડૉક્ટરની જરૂરિયાત છે. માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યાલયમાં જ ચિકિત્સાલય ખોલવામાં આવશે. જેમાં લોકોને નિ:શુલ્ક સ્વાસ્થ્યની સેવા આપવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગ દ્વારા આ કાર્ય કરવામાં આવશે. જેમાં દરેક સપ્તાહમાં શુક્રવારે કેન્દ્ર લોકો માટે ચાલુ રહેશે અને આયુર્વેદિક ઔષધી દ્વારા ઈલાજ કરવામાં આવશે.

અમદાવાદ: લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે VHP કાર્યાલય ખાતે નિઃશુલ્ક ચિકિત્સાલય ખુલશે...
રામ મંદિર વિશે વિજય સંકલ્પ તિવારીએ જણાવ્યું હતું કે, રામ જન્મભૂમિ પર જ ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આગામી ૧૯-૨૦ જૂને હરિદ્વારમાં સંતોનું મંડળ મળવાનું છે, જેમાં કલમ 370, દેશની વધતી જતી જનસંખ્યા ,રામમંદિર અને જ્વલંત મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે. રામ મંદિર બનાવવાની જવાબદારી જેટલી ભક્તોની છે, એટલી જ જવાબદારી ભારતીય જનતા પાર્ટીને પણ છે. ઉપરાંત જેને લાગે તમામ લોકોએ રામ મંદિર જવું જોઈએ અને રામ મંદિર બનાવવા માટેની મુહિમ શરૂ કરવી જોઈએ. આ મંદિરનો મુદ્દો માત્ર સંતાન નથી, પરંતુ સમગ્ર દેશનો મુદ્દો છે.

ABOUT THE AUTHOR

...view details