15 મે બાદ લોકોને ઘરેબેઠાં શાકભાજી-કરિયાણું મળશે, પરંતુ કેશ ઓન ડિલિવરીની મંજૂરી નહી - એએમસી
શહેરમાં સંપૂર્ણ લૉકડાઉન છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં હવે ઘરે-ઘરે શાકભાજી અને કરિયાણું મળી રહે એવી વ્યવસ્થા અમદાવાદ કમિશનર દ્વારા કરવામાં આવી છે. જેમાં 15 મે બાદ લોકોને ઘરબેઠાં શાકભાજી અને કરિયાણું મળી રહેશે. જોકે, તે માટે લોકો, વેપારીઓ અને ફેરિયાઓએ પણ અમુક નિયમોનું પાલન કરવું પડશે.
![15 મે બાદ લોકોને ઘરેબેઠાં શાકભાજી-કરિયાણું મળશે, પરંતુ કેશ ઓન ડિલિવરીની મંજૂરી નહી 15મી બાદ લોકોને ઘેરબેઠાં શાકભાજી-કરિયાણું મળશે, પરંતુ કેશ ઓન ડિલિવરીની મંજૂરી નહી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7152814-thumbnail-3x2-amc-7207084.jpg)
15મી બાદ લોકોને ઘેરબેઠાં શાકભાજી-કરિયાણું મળશે, પરંતુ કેશ ઓન ડિલિવરીની મંજૂરી નહી
અમદાવાદઃ લૉકડાઉનના સમયમાં સરકાર દ્વારા એક સ્ટ્રેટજી નક્કી કરવામાં આવી છે. જેમાં મોટી રીટેલ કંપનીઓ ઘેરબેઠાં લોકોને શાકભાજી અને કરિયાણાની હોમ ડિલીવરી કરશે. જે માટે AMC એ ડી-માર્ટ, ઓસીયા હાયપરમાર્કેટ, બિગ બાસ્કેટ, બિગ બઝાર, ઝોમેટો, સ્વિગી જેવી કંપનીઓનો સમાવેશ થશે. તમે આ લોકોનો સંપર્ક કરીને વસ્તુ મગાવી શકશો અને આ લોકો સ્ક્રિનિંગની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ વસ્તુની ડિલિવરી કરશે.
15 મે બાદ લોકોને ઘરેબેઠાં શાકભાજી-કરિયાણું મળશે, પરંતુ કેશ ઓન ડિલિવરીની મંજૂરી નહી
Last Updated : May 11, 2020, 8:56 PM IST