- 31 ડીસેમ્બરને લઇ અમદાવાદ શહેર પોલીસનો એકશન પ્લાન
- 09 વાગ્યા બાદ બહાર ફરતા લોકોનું તબીબી પરિક્ષણ કરાશે
- જો નશો કર્યો હશે તો સીધા જેલના હવાલે મોકલાશે
અમદાવાદઃ કોરોના વધી રહેલા કેસને પગલે ગુજરાત પોલીસે 31મી ડિસેમ્બરને લઇ આ વખતે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. 31મી ડિસેમ્બરને લઇ અમદાવાદ શહેર પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યું છે 31 ડિસેમ્બરની રાત્રે 9 વાગ્યા બાદ બહાર ફરતા લોકોનું તબીબી પરિક્ષણ કરાશે અને જનશો કર્યો હશે તો સીધા જેલના હવાલે મોકલવાની તૈયારી દર્શાવવામાં આવી છે. કોરોનાના કારણે આ વર્ષે બ્રેથ એનેલાઇઝર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. તો અમદાવાદમાં 31મી ડિસેમ્બરને લઇ પોલીસ બંદોબસ્તમાં 7 DCP અને 14 ACP સહિત 3500 થી વધુનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ ખાનગી જગ્યાએ પણ ચેકિંગ કરશે.
અમદાવાદ પોલીસનો એકશન પ્લાન
- 31મી ડિસેમ્બરને લઇ અમદાવાદ શહેર પોલીસના એક્શન પ્લાન
- 09 વાગ્યા બાદ બહાર ફરતા લોકોનું તબીબી પરીક્ષણ
- નશો કર્યો હશે તો સીધા જેલના હવાલે મોકલાશે
- બ્રેથ એનેલાઇઝર કોરોના મહામારીને ધ્યાને રાખી પ્રતિબંધ
- પોલીસ બંદોબસ્તમાં 3500થી વધુ પોલીસ ખડેપગે
- પોલીસ ખાનગી જગ્યાએ પણ સરપ્રાઇઝ ચેકિંગ કરશે
- હાલ અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ અમલમાં છે જેનું આવતીકાલે કડક પાલન કરવામાં આવશે
- અમદાવાદમાં 28 ચેક પોસ્ટ પર ચેકિંગ કરાશે
- અમદાવાદ બહારના વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં
- 31મી ડિસેમ્બરની 9 વાગ્યા પછી ઉજવણી નહીં કરી શકાય
- જાહેરનામા મુજબ દિવસ દરમિયાન ઉજવણી કરી શકાશે
- જાહેરનામાનો ભંગ થશે તો ગૂનો નોંધાવામાં આવશે