ગુજરાત

gujarat

ETV Bharat / state

કૃષ્ણનગર અપહરણ મામલે આરોપીઓની ધરપકડ - Kidnapping of a young man

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક યુવકને સગીરા સાથેનો પ્રેમ સબંધ ભારે પડી હતો. સગીરા અને યુવક બંને ફરવા ગયા હતા. જેની જાણ સગીરાના પરિવારજનોને થતા જ સગીરાના પરિવારજનોએ યુવકનું અપહરણ કરી ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં નાખી દીધો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. હાલ પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સાગરીના માતા પિતા, પિતરાઈ ભાઈ તથા સગીરના કાકાનો સમાવેશ થાય છે.

કૃષ્ણનગર અપહરણ મામલે આરોપીઓની ધરપકડ
કૃષ્ણનગર અપહરણ મામલે આરોપીઓની ધરપકડ

By

Published : Feb 13, 2021, 11:02 PM IST

  • પ્રેમ સબંધમાં કરાયું યુવકનું અપહરણ
  • સગીરા સાથે યુવકનો હતો પ્રેમ સબંધ
  • એક જ ગામના રહેવાસી હતા યુવક અને સગીરા
  • સગીરના પરિવારજનોએ યુવકનું કર્યું ફિલ્મી સ્ટાઇલે અપહરણ
  • અપહરણ કરીને નર્મદા કેનાલ નાંખી દીધા હોવાનો એકરાર આરોપીઓ કર્યો

અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક યુવકને સગીરા સાથેનો પ્રેમ સબંધ ભારે પડી હતો. સગીરા અને યુવક બંને ફરવા ગયા હતા. જેની જાણ સગીરાના પરિવારજનોને થતા જ સગીરાના પરિવારજનોએ યુવકનું અપહરણ કરી ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં નાખી દીધો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. હાલ પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સાગરીના માતા પિતા, પિતરાઈ ભાઈ તથા સગીરના કાકાનો સમાવેશ થાય છે.

કૃષ્ણનગર પોલીસે યુવકની શોધખોળ માટે એડી ચોંટીનું જોર લગાવ્યું

કૃષ્ણનગર પોલીસે ગિરફ્ત કર્યા તેમાં એક જ પરિવારના 4 સભ્યો હતા. માં સાગરીના માતા પિતા, પિતરાઈ ભાઈ તથા સગીરના કાકાનો સમાવેશ થાય છે. યુવકનું ઇકો ગાડીમાં અપહરણ કરી તેને કેનાલમાં નાંખી દીધા હોવાની કબૂલાત આરોપીઓએ કરી છે. બીજી તરફ પોલીસ યુવકની શોધખોળ માટે એડી ચોંટીનું જોર લગાવી રહી હોવાનું જણાવા મળ્યું હતુ.

કૃષ્ણનગર અપહરણ મામલે આરોપીઓની ધરપકડ

પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ

પ્રેમ પ્રકરણમાં યુવક કે, યુવતીની હત્યા કરાઈ હોય કે પછી અન્ય કોઈ રીતે નુકશાન પોહ્ચાડ્યું હોય તેવા કિસ્સાઓ ગુજરાત બહારના રાજ્યોમાં બનતા હોવાની વાતો સામે આવતી રહી છે પરંતુ કદાચ આવો કિસ્સો પહેલી વખત ગુજરાતમાં અને તેમાંય અમદાવાદ જેવા શહેરમાં બન્યો હશે કે જેમાં પ્રેમ કરનાર યુવકનું અપહરણ કરવામાં આવતું હોય અને તેનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે, પ્રેમી યુવકને છોકરીના ઘરના સભ્યો જ મોતના ઘાટ ઉતારી દિધો હોય મહત્વનું છે કે આવા કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો ગણી શકાય. કૃષ્ણનગર પોલીસે હાલ સગીરાના માતા પિતા સહિત ચારેય આરોપીઓ વિરુદ્ધ IPC ની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. જયારે બીજી તરફ પોલીસે પણ યુવકની શોધ ખોડ તપાસ ચાલુ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details