- યુ.કે થી આવેલા તમામ પ્રવાસીના કરાયા રિપોર્ટ
- સેમ્પલ પુને મોકલવામાં આવ્યા હતા
- 4 પેસેન્જરના રિપોર્ટ નેગેટીવ આવતા ડિસ્ચાર્જ
અમદાવાદ : યુકેમાં કોરોના વાઇરસનો નવા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેના પગલે યુકેથી ભારત આવેલા તમામ પ્રવાસીનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 15 દિવસ પહેલાં યુકેથી આવેલા પ્રવાસીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 4 પ્રવાસીઓ પોઝિટિવ આવતાં તેમને SVP હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા. તમામ પેસેન્જરના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટમાં યુકે વાઇરસનો નવો સ્ટ્રેન દેખાયો હતો. SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચારેય દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દર્દીઓએ સાત દિવસ હોમ આઇસોલેશનમાં ફરજિયાત રહેવું પડશે. તમામ દર્દીઓનો બે વખત RT-PCR ટેસ્ટ કર્યા બાદ રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યા છે.