ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Paralympics: 54 ભારતીય ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિક્સ માટે થયા રવાના - ટોક્યો પેરાલિમ્પિક 2020

રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર અને પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાએ ગુરુવારે 54 સભ્યોની ભારતીય ટીમને આગામી ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ માટે ઔપચારિક રીતે વિદાય આપી છે. ભારત 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન પેરાલિમ્પિક ગેમ્સની નવ ઇવેન્ટ્સમાં ભાગ લેશે.

Paralympics
Paralympics

By

Published : Aug 12, 2021, 9:58 PM IST

  • પેરા એથ્લેટ્સની મહત્વાકાંક્ષા અને આત્મવિશ્વાસ 1.3 અબજ ભારતીયોની પ્રેરણા
  • પીસીઆઈના જનરલ સેક્રેટરી ગુરશરણ સિંહ ભારતીય ટીમના ટીમ ચીફ
  • યુરોસ્પોર્ટ્સ અને ડીડી સ્પોર્ટ્સ પર લાઇવ એક્શનમાં જોઈ શકાશે ખેલાડીઓની રમત

ન્યૂઝ ડેસ્ક:ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સની ટીમમાં મેડલ દાવેદારોમાં દેવેન્દ્ર ઝાઝારિયા (F-46 જેવેલિન થ્રો), મરિયપ્પન થંગાવેલુ (T-63 હાઇ જમ્પ) અને વિશ્વ ચેમ્પિયન સંદીપ ચૌધરી (F-64 જેવેલિન થ્રો) શામેલ છે. આ સાથે દેશ આ વખતે પેરાલિમ્પિક રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. ઝાઝારિયા તેના ત્રીજા પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ માટે પ્રયત્ન કરી રહી છે.

ખેલાડીઓ વર્ચ્યુઅલ ઇવેન્ટનો ભાગ બન્યા

ઝાઝરિયાએ વર્ષ 2004 અને 2016માં ગોલ્ડ મેડલ જીત્યો છે. મરિયપ્પને રિયોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 24 ઓગસ્ટે ઉદ્ધાટન સમારોહ દરમિયાન તેઓ ભારતીય ટુકડીના ધ્વજવાહક હશે. ટોક્યો માટે રવાના થનારા ખેલાડીઓ વર્ચ્યુઅલ ઇવેન્ટનો ભાગ બન્યા કારણ કે, તેઓ અત્યારે 'બાયો-બબલ'માં છે. ઠાકુરે વીડિયો સંદેશમાં કહ્યું, "અમારા પેરા એથ્લેટ્સની મહત્વાકાંક્ષા અને આત્મવિશ્વાસ 1.3 અબજ ભારતીયોને પ્રેરણા આપે છે. સૌથી મોટા પડકારો પણ તેની હિંમત સામે નમી જાય છે. અને તે તેના હકદાર પણ છે.

આ પણ વાંચો-નવી દિલ્હીમાં ટોક્યો પેરાલિમ્પિકનું થીમ ગીત 'કર દે કમાલ તુ' કરાયું લોન્ચ

ખૂબ જ ગૌરવ અને સંતોષની વાત

રમતગમત પ્રધાન ઠાકુરે કહ્યું કે, આગામી રમતોમાં અમારા પેરા રમતવીરોની સંખ્યા અગાઉના તબક્કા કરતા ત્રણ ગણી વધારે છે. મને તેની ક્ષમતા પર પૂર્ણ વિશ્વાસ છે. હું માનું છું કે, તમારું પ્રદર્શન પણ ગત વખત કરતા સારું રહેશે. આ ખૂબ જ ગૌરવ અને સંતોષની વાત છે કે, પેરા રમતવીરોએ અત્યાર સુધીમાં ત્રણ ખેલ રત્ન, સાત પદ્મશ્રી અને 33 અર્જુન પુરસ્કારો જીત્યા છે.

સાત ભારતીય શટલર્સ ભાગ લેશે

પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા (PCI)ના પ્રમુખ દીપા મલિકે રિયોમાં સિલ્વર મેડલ જીત્યો. તેમણે કહ્યું, "અમે ટોક્યો 2020 પેરાલિમ્પિક્સમાં મેડલનો રેકોર્ડ જોશું કારણ કે અમારા ખેલાડીઓ તેમના ફોર્મની ટોચ પર છે." પીસીઆઈના જનરલ સેક્રેટરી ગુરશરણ સિંહ ભારતીય ટીમના ટીમ ચીફ હશે. તેઓ બેડમિન્ટન પેરાલિમ્પિક રમતોમાં પદાર્પણ કરશે, જેમાં સાત ભારતીય શટલર્સ ભાગ લેશે. ભારતીય ચાહકો દેશના પેરા ખેલાડીઓને યુરોસ્પોર્ટ્સ અને ડીડી સ્પોર્ટ્સ પર લાઇવ એક્શનમાં જોઈ શકે છે. PCI એ યુરોસ્પોર્ટ ઇન્ડિયાને પેરાલિમ્પિકના જીવંત પ્રસારણ અધિકારો આપ્યા છે.

ABOUT THE AUTHOR

...view details