- ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને પહેલી જ મેચમાં ભારતને મ્હાત આપી હતી
- પાકિસ્તાની બેટ્સમેન રિઝવાને ગ્રાઉન્ડ પર નમાઝ પઢતા વિવાદ સર્જાયો
- પાકિસ્તાની પૂર્વ ખેલાડી વકાર યુનુસે આ અંગે નિવેદન આપ્યું પણ પછી માફી માગી
હૈદરાબાદઃ ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને પહેલી જ મેચમાં ભારતને મ્હાત આપી હતી. આવું પહેલી વખત થયું જ્યારે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારત હારી ગયું, પરંતુ આ મેચના અંતમાં કંઈક એવું થયું, જેના પર વિવાદ ઉભો થયો છે. પાકિસ્તાની બેટ્સમેન રિઝવાને મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર જ દુઆ કરી હતી, જે અંગે વિવાદ સર્જાયો છે. પાકિસ્તાનના પૂર્વ ખેલાડી વકાર યુનુસે આને સ્પેશિયલ મોમેન્ટ ગણાવ્યું હતું.
આ પણ વાંચો-ટેસ્ટ મેચની પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનારા ઈરફાન પઠાણનો આજે જન્મદિવસ
ડ્રિન્ક્સ બ્રેકમાં મોહમ્મદ રિઝવાને ગ્રાઉન્ડમાં નમાઝ અદા કરી હતી
પાકિસ્તાનની એક ચેનલ પર ચર્ચા દરમિયાન વકાર યુનુસે કહ્યું હતું કે, રિઝવાને જે ગ્રાઉન્ડમાં ઉભા રહીને નમાઝ અદા કરી, હિન્દુઓની વચ્ચે ઉભા રહીને. તે મારા માટે ખૂબ જ વિશેષ ક્ષણ હતી. વકાર યુનુસનો આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જોકે, 24 ઓક્ટોબરે દુબઈમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ડ્રિન્ક્સ બ્રેકમાં મોહમ્મદ રિઝવાને નમાઝ અદા કરી હતી. ત્યારબાદ મેચ જ્યારે જીતી. ત્યારે પણ તેમણે દુઆ કરી હતી. આ અંગે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે અને હવે વકાર યુનુસે આટલું મોટું નિવેદન આપ્યું છે.
શોએબ અખ્તરે ટ્વિટર પર મોહમ્મદ રિઝવાનનો વીડિયો શેર કર્યો