હૈદરાબાદ:સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ(SAI) વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને 67 તાલીમ કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાઈએ એમના અધિકારીક નિવેદનમાં સોમવારે જણાવ્યું કે દેશમાં વધતા કોરોના સંક્રમણ જોતા સાઈ દેશોમાં આવેલા 67 તાલીમ કેન્દ્રો શિબિર (Camps of 67 training centers in SAI countries)કરવામાં આવી રહી છે. ઘણા રાજ્યોએ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને રાખીને ખેલ જોડાયેલ ગતિવિધીઓ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં કોરોના સંક્રમણ (Corona transition in India )ઓછું થયા બાદ ફરી ચાલું કરી દેવામાં આવશે.
તમામ પોઝિટિવ ખેલાડીઓની ફરીથી તપાસ
બેગંલુરૂમાં આવેલ સાઈ સેન્ટરમાં એક સાથે 35 ભારતીય એથ્લેટ્સ કોરોના પોઝિટીવ (Indian Athletes Corona Positive)મળી આવ્યા હતા. સાઈ સેન્ટરમાં એક સાથે 210 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એમાથી 175 એન્થલિટ્સ હતા તો સાથે 35 કોચ પણ સામેલ હતા. આ 210 લોકોમાંથી 35 કોરોના પોઝિટીવ આવ્યા.પોઝિટીવ ખેલાડીઓમાંના ચારને થોડા લક્ષણો છે, એમાં 31ને કોરોનાના લક્ષણો નથી. હાલમાં કોઈ પણ ખેલાડીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો નથી. બધાને આઈસોલેટ કરવામાં આવ્યો છે. કેન્દ્રમાં જ તમામ સારવાર કરવામાં આવશે. 15 દિવસ પછી, તમામ પોઝિટિવ ખેલાડીઓની ફરીથી તપાસ કરવામાં આવશે.
નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા જારી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ(Sports Authority of India )કોવિડના કેસોમાં સતત થઈ રહેલા વધારાને પહોંચી વળવા માટે ગુરુવારે જ નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા જારી કરી છે. વિવિધ નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (NCOEs) તેમજ ચાલુ રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ્સમાં SOPsનો કડક અમલ કરવામાં આવશે.