ગુજરાત

gujarat

ETV Bharat / sports

'અરે, તમારા ભૂતપૂર્વ કોચ અહીં બેઠા છે', અને રવિન્દ્ર જાડેજાએ કહ્યુ...

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝ ચાલી રહી છે. પ્રથમ મેચનો (india vs west indies) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોમેન્ટ્રી કરતી વખતે શ્રીકાંત રવિન્દ્ર જાડેજા સાથે મસ્તી કરી રહ્યો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ તેમની સાથે છે. રવિન્દ્ર જાડેજાએ પ્રથમ મેચમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને ટીમની જીતમાં યોગદાન આપ્યું હતું.

By

Published : Aug 2, 2022, 12:57 PM IST

ind vs wi t20
ind vs wi t20

ન્યુઝ ડેસ્ક: ટીમ ઈન્ડિયા હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચની T20I સિરીઝ રમી રહી (india vs west indies) છે અને પ્રથમ મેચ જીતીને 1-0થી આગળ છે. બીજી મેચ સોમવારે એટલે કે 1 ઓગસ્ટના રોજ રમાવાની છે, ટીમ ઈન્ડિયા જીતનો સિલસિલો આગળ વધારવા માંગે છે. આ દરમિયાન પ્રથમ ટી20નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પૂર્વ ક્રિકેટર કે. શ્રીકાંત એક રમુજી નિવેદન આપી રહ્યો છે.

આ પણ વાંચો:CWG 2022: લૉન બૉલમાં મેડલ નિશ્ચિત, બોક્સર પંઘાલ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો

ફની વીડિયો:રવિન્દ્ર જાડેજા બેટિંગ કરી રહ્યો હતો (ind vs wi) ત્યારે કે. શ્રીકાંતે કહ્યું આવો જાડેજા, જોશ બતાવ. તમારા ભૂતપૂર્વ કોચ અહીં બેઠા છે. શ્રીકાંતના (k. srikanth) આ ફની વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. ખરેખર, જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ ચાલી રહી હતી, તે સમયે રવિન્દ્ર જાડેજા (ind vs wi t20) બેટિંગ કરવા આવ્યો, ત્યારે કે. શ્રીકાંત અને રવિ શાસ્ત્રી (ravi shastri)કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તેમ જ સમયે કે. શ્રીકાંતે કહ્યું, 'શું વિચારી રહ્યા છો? ભારત 200 મારશે કે નહીં? જડ્ડુ, આવો. તમારા ભૂતપૂર્વ કોચ અહીં કોમેન્ટ્રી બોક્સમાં છે..'

જાડેજાના વખાણ કર્યા: શ્રીકાંતે પણ રવિન્દ્ર જાડેજાના જોરદાર (india vs west indies t20 match) વખાણ કર્યા અને કહ્યું કે, રવિ શાસ્ત્રીના કોચિંગ કાર્યકાળ દરમિયાન તેણે કેટલો સુધારો કર્યો છે, રવિન્દ્ર જાડેજાની રમતમાં ઘણો સુધારો થયો છે અને હવે તેનામાં આત્મવિશ્વાસ છે. રવિન્દ્ર જાડેજાએ પણ ઓસ્ટ્રેલિયામાં જોરદાર રમત બતાવી હતી.

આ પણ વાંચો:બીજી T20Iમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત 5 વિકેટથી હાર્યું

T20 વર્લ્ડ કપની તૈયારી: ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 મેચમાં 190 રન બનાવ્યા હતા અને વેસ્ટ ઈન્ડિઝને 122 રનમાં ઓલઆઉટ કરીને 68 રનના વિશાળ અંતરથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા હાલમાં T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે અને ટીમમાં અલગ-અલગ ખેલાડીઓની ચકાસણી કરવામાં આવી રહી છે.

જાડેજા ઈજાના કારણે ન રમ્યો: ODI સિરીઝ માટે વાઈસ કેપ્ટન બનાવવામાં આવેલ રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે રમ્યો ન હતો પરંતુ T20 સિરીઝમાં તેણે પુનરાગમન કર્યું હતું. પ્રથમ T20માં રવિન્દ્ર જાડેજાએ 13 બોલમાં 16 રન ફટકાર્યા હતા, ઉપરાંત એક વિકેટ પણ લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details