ગુજરાત

gujarat

કુશ્તીબાજ સુશીલ કુમાર સાથે ઈટીવી ભારતની ખાસ મુલાકાત

By

Published : Oct 27, 2019, 5:06 AM IST

Updated : Oct 27, 2019, 5:52 AM IST

નવી દિલ્હી: ઑલિમ્પિકમાં ભારતને બે મેડલ અપાવનાર પહેલવાન સુશીલ કુમાર સાથે ઈટીવી ભારતે ખાસ મુલાકાત કરી છે. જેમાં તેમણે આગામી સમયમાં આવનાર ટોકિયો ઑલિમ્પિકની તૈયારી અને ભારતીય ફેડરેશનમાં ઉઠી રહેલા પ્રશ્નો અંગે માહિતી આપી હતી.

ઓલંપિક મેડલ વિજેતા સુશીલ કુમાર સાથે ટોક્યો ઓલંપિકની તૈયારી અંગે ઈટીવી ભારતની ખાસ વાતચીત

ઈટીવી ભારત સાથે ખાસ મુલાકાતમાં ઑલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારે જણાવ્યું હતું કે, ઈટીવીના માધ્યમથી હું તમામ દેશવાસીઓને દીવાળીની શુભેચ્છા પાઠવું છું . ખેલાડીઓને પણ શુભકામના પાઠવું છું કે,દિવાળી બાદની તમામ ટુર્નીમેન્ટ ખેલાડીઓ માટે દિવાળી બનીને આવે.

ઑલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર સાથે ટોક્યો ઓલંપિકની તૈયારી અંગે ઈટીવી ભારતની ખાસ વાતચીત

ઑલિમ્પિકમાં કુશ્તી કેટલા મેડલ અપાવશે?
આવનાર ટુર્નામેન્ટ માટે ખૂબ સારી તૈયારી કરી છે અને ઑલિમ્પિક માટે તમામ ટીમ તૈયાર છે. અમે ઑલિમ્પિકમાં સારૂં પ્રદર્શન કરીશું અને દેશ માટે વધુ મેડલ લાવવાનો પ્રયત્ન કરીશું. મારૂં માનવું છે કે, ઑલિમ્પિકમાંકુશ્તીમાં સારૂં પ્રદર્શન જોવા મળશે. કુશ્તી ઉપરાંત બીજી રમતમાં પણ ખેલાડી સારૂં પ્રદર્શન કરશે. તમામ ખેલાડીઓએ અત્યારથી જ રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે. તમામ ખેલાડી ઑલિમ્પિકમાં સારૂં પ્રદર્શન કરશે અને દેશ માટે મેડલ લાવવાના પ્રયાસો કરશે.

ભારતીય પહેલવાન સુશીલ કુમાર

ઑલિમ્પિકમાં કોઈ પડકારો?
ગત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હું 8 વર્ષ બાદ રમ્યો હતો અને તેનો અનુભવ પણ ઘણો અલગ હતો. હાલ, હું આગામી ઑલિમ્પિકની તૈયારી માટે રાતદિવસ મહેનત કરી રહ્યો છે. જેમાં ગત મેચમાં મારા રહેલી ખામીઓને ધ્યાન રાખીને હું તેની પર કામ કરી રહ્યો છું. જેથી બીજી વખત એ કમજોરી સામે ન આવે. આવનાર ટુર્નામેન્ટમાં હું ઉત્તમ પ્રદર્શન કરવાના પ્રયાસો કરીશ.

કેટલા કલાક પ્રેક્ટિસ કરો છો?
મારા કોચ શેડ્યૂલ તૈયાર કરે છે. તે મને 1 કલાક, 2 કલાક, 45 મીનિટનું સેશન આપે છે. જેનાથી હું એક્ટિવ રહું અને એનર્જી લેવલ પણ સ્થિર રહે.

ઑલિમ્પિકમાં તમારા ઉપરાંત બીજા કોન મેડલ જીતી શકે છે?
દીપક પુનિયા, બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને રવિ કુમારે ક્વોલિફાઈ કર્યુ છે તે ફિટ છે અને દેશ માટે તેઓ ગોલ્ડ મેડલ જીતી શકે છે.

સુશીલ કુમાર હજૂ ઘી ખાઈ છે?
હા, પહેલવાન વધારે ઘી ખાઈ છે. હું પણ ઘી ખાવ છું અને આપણા સ્વામી બાબા રામદેવ જી મારા ગુરૂજી છે, આધ્યાત્મિક ગુરૂ છે. તેમનો આશિર્વાદ મારા માથે છે. એમણે પણ મને ઘી ખાવાની સલાહ આપી છે. મારા ગુરૂ પદમ્શ્રી મહાબલી સતપાલજી પણ મને ઘી ખાવાની સલાહ આપે છે. તેઓ કહે છે ઘી ખાવાથી મારી સ્ટેમિનામાં વધારો થાઇ છે.

Last Updated : Oct 27, 2019, 5:52 AM IST

ABOUT THE AUTHOR

...view details