ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મહાન મેચ પહેલા રહાણેએ કહ્યું - અગાઉના રેકોર્ડથી કોઈ ફરક પડતો નથી

ભારતે પાકિસ્તાન(India to Pakistan) સામે તેની તમામ વર્લ્ડકપ મેચ(World Cup match) જીતી લીધી છે પછી ભલે તે વન ડે ઇન્ટરનેશનલ (7-0) હોય અથવા ટી 20 ઇન્ટરનેશનલ મેચ (5-0) હોય. જોકે, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે તાજેતરમાં જ તેમની શ્રેણી રદ કર્યા બાદ પાકિસ્તાનને ટી -20 મેચ રમીને તૈયારી કરવાની તક મળી નથી.

By

Published : Oct 22, 2021, 7:50 PM IST

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મહાન મેચ પહેલા રહાણેએ કહ્યું - અગાઉના રેકોર્ડથી કોઈ ફરક પડતો નથી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મહાન મેચ પહેલા રહાણેએ કહ્યું - અગાઉના રેકોર્ડથી કોઈ ફરક પડતો નથી

  • ટીમ ઈન્ડિયાએ બાબર આઝમની ટીમને હળવાશથી ન લેવી જોઈએઃ રહાણે
  • આતંકી હુમલા બાદ શ્રીલંકાની ટીમે પાકિસ્તાન પ્રવાસ બંધ કર્યા
  • ભારતીય ટીમ અન્ય ટીમોની જેમ પાકિસ્તાનનું પણ સન્માન કરશેઃ રહાણે

દુબઈ: 24 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારા આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન(India to Pakistan) વચ્ચેની મહાન મેચ પહેલા ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે(Ajinkya Rahane)એ કહ્યું છે કે, ટીમ ઈન્ડિયાએ બાબર આઝમ(Babar Azam)ની ટીમને હળવાશથી ન લેવી જોઈએ.

ભારતે પાકિસ્તાન સામે તેની તમામ વર્લ્ડકપ મેચ જીતી લીધી છે પછી ભલે તે વન ડે ઇન્ટરનેશનલ (7-0) હોય અથવા ટી 20 ઇન્ટરનેશનલ મેચ (5-0) હોય. જોકે, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે તાજેતરમાં જ તેમની શ્રેણી રદ કર્યા બાદ પાકિસ્તાનને ટી -20 મેચ રમીને તૈયારી કરવાની તક મળી નથી.

2009 બાદ શ્રીલંકાની ટીમે પાકિસ્તાન પ્રવાસ બંધ કર્યા

પાકિસ્તાને યુએઈમાં વર્ષોથી તેની મોટાભાગની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ(International cricket) રમી છે, જે 2009ના આતંકી હુમલાને પગલે શ્રીલંકાની ટીમે પાકિસ્તાન પ્રવાસ બંધ કર્યા બાદ તેમનું હોમ ગ્રાઉન્ડ બની ગયું છે. બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ આ ટુર્નામેન્ટની ફેવરિટ ટીમોમાંની એક છે.

રહાણએ જણાવ્યું કે...

રહાણેએ શુક્રવારે દુબઇમાં સલામ ક્રિકેટ પર જણાવ્યું હતું કે, તે દિવસે એક ટીમ તરીકે આપણે કેટલું સારું કરી શકીએ છીએ તેના પર હંમેશા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. "મર્યાદિત ઓવરની રમતમાં અગાઉના રેકોર્ડથી કોઈ ફરક પડતો નથી. આથી ભારતીય ટીમે પાકિસ્તાનને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ. જ્યારે પણ અમે કોઈ પણ ટીમ સામે રમીએ છીએ, ત્યારે ભૂતકાળના રેકોર્ડ્સથી કોઈ ફરક પડતો નથી. અમે હંમેશા વર્તમાન, અમારી વ્યૂહરચના, શક્તિ, સંજોગો કેવા હોવા જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

કોઈ પણ ટીમને હળવાશથી ન લેવી જોઈએઃ રહાણે

રહાણેએ કહ્યું કે મને ખાતરી છે કે ભારત પાકિસ્તાન સામે સારી મેચ રહેશે. હું મેચ જીતવા માટે સ્પષ્ટપણે ભારતનું સમર્થન કરું છું, પરંતુ વ્યક્તિગત રીતે, હું માનું છું કે કોઈ પણ ટીમને હળવાશથી ન લેવી જોઈએ. અને મને ખાતરી છે કે ભારતીય ટીમ(Indian cricket team) અન્ય ટીમોની જેમ પાકિસ્તાનનું પણ સન્માન કરશે. યુએઈની સ્થિતિ લગભગ ભારત જેવી છે, અને અહીં આઈપીએલ રમ્યા બાદ 2007ની વર્લ્ડ ટી 20 ચેમ્પિયન ભારતીય ટીમ ટૂંક સમયમાં પરિસ્થિતિથી વાકેફ થઈ જશે.

આ પણ વાંચોઃ વર્લ્ડકપ વિજેતાની વરવી વાસ્તવિક્તા, આર્થિક તંગીએ અભ્યાસનો લીધો ભોગ

આ પણ વાંચોઃ #ICCWomensT20WorldCup: MEGA FINAL ફેન્સ ઉત્સાહિત, મંધાના નેશનલ ક્રશ

ABOUT THE AUTHOR

...view details