ગુજરાત

gujarat

Kohli and Anushka's daughter : વિરુષ્કાની પુત્રી પર દુષ્કર્મની ધમકી આપનાર વિરુદ્ધ આ કારણોસર કેસ પાછો લેવાયો

By

Published : Apr 11, 2023, 2:22 PM IST

Updated : Apr 11, 2023, 4:24 PM IST

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની માસૂમ પુત્રી પર દુષ્કર્મની ધમકીના કેસમાં બોમ્બે હાઈકોર્ટે આરોપી રામનાગેશ શ્રીનિવાસ અકુબાથિનીને મોટી રાહત આપીને તેની કારકિર્દી બચાવવાનો પ્રયાસ કર્યો છે. મેચમાં હાર પછી કરવામાં આવેલી હરકતના કારણે તેના પર કાર્યવાહી કરીને ગુનો નોધવામાં આવ્યો હતો.

Etv BharatKohli and Anushka's daughter
Etv BharatKohli and Anushka's daughter

મુંબઈ:બોમ્બે હાઈકોર્ટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની માસૂમ પુત્રી પર દુષ્કર્મની ધમકી આપનાર આરોપીને રાહત આપતાં તેને કેસ આગળ ન વધારવા જણાવ્યું છે કારણ કે, તેણે આરોપી રામનાગેશ શ્રીનિવાસ અકુબાથિની સામે દાખલ FIR અને ચાર્જશીટ રદ કરી છે.

બળાત્કાર કરવાની ધમકી: ભારત-પાકિસ્તાન T20 ફાઇનલ હાર બાદ પોતાના ટ્વિટર હેન્ડલ પર જાતીય ટિપ્પણીઓ લખીને વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની પુત્રી પર દુષ્કર્મની ધમકી આપી હતી. આ જ કેસમાં, આરોપી રામનાગેશ શ્રીનિવાસ અકુબાથિની સામે કાર્યવાહી ન કરવા માટે ફરિયાદી વતી સંમતિ એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી, જેમાં સંમતિના આધારે કેસને બરતરફ કરવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:IPL 2023: બેંગ્લુરુ સામે લખનઉની ભારે રસાકસી સાથે એક વિકેટથી જીત

ભવિષ્યમાં આવી ભૂલ ન થાય:આ કેસમાં ફરિયાદીએ કહ્યું છે કે, આરોપી રામનાગેશ શ્રીનિવાસ અકુબાથિની સામે કાર્યવાહી થવી જોઈએ નહીં. આ ફરિયાદી બીજું કોઈ નહીં પણ વિરાટ-અનુષ્કાના મેનેજર છે. આ ઉપરાંત, આરોપીએ કોર્ટને કહ્યું કે, તે એક મેરીટોરીયસ IIT-JEE રેન્કર છે. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખશે. જો આ મામલો ચાલશે તો તેના ભવિષ્ય માટે સારું નહીં રહે. આવી દલીલો પછી, કોર્ટ એફઆઈઆર અને ચાર્જશીટ રદ કરવા માટે સંમત થઈ હતી.

શું હતો મામલો: તમને જણાવી દઈએ કે, આ આખો મામલો T20 વર્લ્ડ કપના સમય સાથે જોડાયેલો છે, ભારતીય ક્રિકેટ ટીમ પોતાની મેચ હારી ગઈ હતી. આ જ વાતથી નારાજ રામનાગેશ શ્રીનિવાસ અકુબાથિનીએ કથિત રીતે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીના પરિવાર અને તેની પુત્રી વામિકા માટે આવી કોમેન્ટ કરી હતી.

આરોપી અકુબાથિની સોફ્ટવેર એન્જિનિયર:આ કેસમાં ફરિયાદ મળ્યા બાદ મુંબઈ પોલીસના સાયબર સેલે આરોપી રામનાગેશ શ્રીનિવાસ અકુબાથિનીની હૈદરાબાદથી ધરપકડ કરી હતી. પકડાયા બાદ જાણવા મળ્યું કે, આરોપી અકુબાથિની સોફ્ટવેર એન્જિનિયર છે અને તેણે આઈઆઈટી હૈદરાબાદમાંથી બીટેક પણ કર્યું છે. જો કે, 27 નવેમ્બર, 2021 ના ​​રોજ, મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટે આ કેસમાં અકુબાથિનીને જામીન આપ્યા હતા.

Last Updated : Apr 11, 2023, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details