નવી દિલ્હી:અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ગ્રાન્ડ ફિનાલે 28 મેના રોજ ભારે વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. આનાથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની યોજનાઓ ખોરવાઈ ગઈ. બંને ટીમો ફાઈનલ ટ્રોફી કબજે કરવા માટે ઉત્સુક હતી. પરંતુ વરસાદે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. હવે સોમવારે સાંજે 7.30 કલાકે CSK અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળી શકે છે. પરંતુ આજે પણ મેચ દરમિયાન વરસાદ પડે તો? તો પછી IPL 2023 ના અંતિમ વિજેતાની જાહેરાત કેવી રીતે થશે?
રિઝર્વ ડે માટે મેચ સ્થગિત કરવાની જાહેરાત: રવિવારે 28 મેના રોજ ફાઇનલ મેચનો ટોસ ભારે વરસાદને કારણે વિલંબિત થયો હતો. 28 મેના રોજ રાત્રે લગભગ 8:55 વાગ્યે વરસાદ બંધ થયો અને મેચ શરૂ થવાની આશામાં ખેલાડીઓ વોર્મ અપ કરવા લાગ્યા. પરંતુ વરસાદ ફરી શરૂ થયો હતો. જ્યારે મેચ અધિકારીઓને લાગ્યું કે રમત શક્ય નહીં બને. તે પછી અધિકારીઓએ સોમવારે 29 મેના રોજ રિઝર્વ ડે માટે મેચ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
સમયસર મેચ ના ચાલું ન થાય તો:હવે પ્રશ્ન એ છે કે જો સોમવારે પણ વરસાદ પડે અને ફાઈનલ મેચ વરસાદમાં ધોવાઈ જાય તો શું થશે. જો આજે વરસાદ પડે તો રાત્રે 9:35 સુધી રાહ જુઓ. ત્યાર બાદ મેચમાં ઓવરોની સંખ્યા ઘટશે. પાંચ ઓવરની મેચ માટે કટ-ઓફ સમય 12:06 કલાક (મંગળવારે) છે. જો વધુ વરસાદ થશે તો સુપર ઓવરમાંથી પરિણામ મેળવવાની તક રહેશે. આ દૃશ્ય માટે સજ્જતા સુનિશ્ચિત કરવા માટે આઉટફિલ્ડ અને પીચ 1:20 વાગ્યા પછી તૈયાર કરવી જોઈએ.