ગુજરાત

gujarat

ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો, ગબ્બર બાદ આ ખેલાડી પણ થઈ શકે છે મેચની બહાર

By

Published : Jun 17, 2019, 2:07 PM IST

સ્પોર્ટસ ડેસ્ક: વર્લ્ડ કપમાં એકવાર ફરી ભારતે પાકિસ્તાનને માત આપી છે. રવિવારે ઈંગ્લેન્ડના મૈનચેસ્ટરમાં રમાયેલી મેચમાં ટીમ ઈંડિયાએ શાનદાર બેટિંગ તેમજ બોલિંગનું પ્રદર્શન કરીને પાકિસ્તાનને હરાવ્યું હતુ, પરંતુ આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા માટે બીજા ઝટકા સમાન સમાચાર આવ્યા છે જેમાં ટીમ ઈન્ડિયાના સ્ટ્રાઈક ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર હૈમસ્ટ્રિંગને કારણે મેચ વચ્ચે જ ચાલી ગયો હતો પરંતુ હવે જાણકારી મળી રહી છે કે તેનો ઘાવ ઉંડો છે અને તે આગામી 2-3 મેચ રમી શક્શે નહી.

સ્પોર્ટસ ડેસ્ક

મેચ પૂર્ણ થયા બાદ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ વાતની જાણકારી આપી હતી. વિરાટે કહ્યું હતું કે, ભુવનેશ્વર કુમારને થોડી પરેશાની થઈ રહી છે. તેઓ લપસી ગયા હતા જેના કારણે તેને ખેંચતાણ થઈ હતી. એવું લાગી રહ્યું છે કે, તેઓ 2 અથવા તો 3 મેચ રમી શક્શે નહિ. પરંતુ અમને લાગે છે કે તે લીગ મેચ દરમિયાન પરત ફરી શકે છે.

જણાવી દઈએ કે, આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે આ બીજી મોટો ઝટકો છે. અગાઉ ઓપનર શિખર ધવન પણ ઈજાના કારણે ટીમમાંથી બહાર નીકળ્યો હતો તે ક્યારે પાછો આવશે તે હજુ સુધી સ્પષ્ટ નથી. BCCI તરફથી શિખર ધવનના સ્થાન રિષમ પંતને લેવામાં આવ્યો છે.

ભુવનેશ્વર કુમાર

રવિવારના રોજ ભારતીય ટીમ બોલિંગ કરી રહી હતી ત્યારે ભુવનેશ્વર કુમારને પાંચમી ઓવરમાં તેના પગ પર તાણ આવી હતી. તે તેની ઓવર પણ પૂર્ણ કરી શક્યો નહોતો અને વિજય શંકરને તેની ભરપાઈ કરી હતી. જો કે, ભૂવીની અધૂરી ઓવરને પૂર્ણ કરવા આવેલ વિજયે તેના પ્રથમ બોલ પર જ વિકેટ ઝડપી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ અત્યાર સુધીમાં 4 મેચ રમી છે અને જેમાંથી 3 માં જીત મળી છે તો એક મેચ વરસાદને કારણે રદ્દ કરાઈ હતી. ટીમ ઈંડિયાની આગામી મેચ અફઘાનિસ્તાન, વેસ્ટ ઇંડિઝ અને બાંગ્લાદેશ સામે છે. જેમાં આ ત્રણેય મેચમાં જ ભુવીનું રમવું શક્ય નથી.

ABOUT THE AUTHOR

...view details