ગુજરાત

gujarat

ETV Bharat / sports

યજુવેન્દ્ર ચહલે કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે સગાઈ કરી

યજુવેન્દ્ર ચહલે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર એકાઉન્ટ પર સગાઈના ફોટો પોસ્ટ કર્યા છે. યજુવેન્દ્ર ચહલે ટ્વીટર પર #rokaceremony અને હાર્ટ ઈમોજી સાથે આ પોસ્ટ શેર કરી છે.

By

Published : Aug 8, 2020, 7:39 PM IST

dhanashree verma
dhanashree verma

હરિયાણા: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​યજુવેન્દ્ર ચહલે સગાઈ કરી લીધી છે. હરિયાણા રાજ્યના જીન્દ રહેવાસી ચહલે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને સગાઈ અંગે માહિતી આપી હતી. સગાઈ કર્યા બાદ આ યુગલે ફેન્સ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. યજુવેન્દ્ર ચહલે તેમના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર એકાઉન્ટ પર સગાઈની તસવીરો પણ પોસ્ટ કરી છે. આ તસવીરો સાથે યજુવેન્દ્રએ કેપ્શનમાં લખ્યું છે કે, અમારા પરિવારો સાથે અમે એક બીજાને હા પાડી.

યજુવેન્દ્રએ કેપ્શનમાં લખ્યું છે કે, અમારા પરિવારો સાથે અમે એક બીજાને હા પાડી

ચહલે શનિવારે ધનશ્રી સાથે સગાઈ થઈ હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી યુગલે પોતાના ચાહકો માટે તસવીરો પોસ્ટ કરી ખુશ ખબર આપી હતી. યજુવેન્દ્ર ચહલે ટ્વિ્ટર પર હાર્ટ ઇમોજી પોસ્ટ કરી #rokaceremon હેઝ ટેગ સાથે આ તસવીરો શેર કરી છે. ચહલે જે યુવતી સાથે સગાઈ કરી તેનું નામ ધનશ્રી વર્મા છે. ધનશ્રી વર્મા ડૉક્ટર, કોરિયોગ્રાફર અને યુટ્યુબર છે. યજુવેન્દ્ર ચહલ ખુદ સોશિયલ મીડિયા પર સક્રિય છે.

યજુવેન્દ્ર ચહલે કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે સગાઈ કરી

IPL 2020 બાદ થઈ શકે છે લગ્ન

IPL 2020ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. IPLની ટીમો 20 ઓગસ્ટથી UAE જવા રવાના થવાની છે. આવી સ્થિતિમાં ચહલે UAE જતા પહેલા સગાઈ કરી લીધી છે. IPL બાદ બન્ને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. હાલ ચહલ IPL 2020 માટે પ્રેક્ટીસમાં વ્યસ્ત છે.

ABOUT THE AUTHOR

...view details