ગુજરાત

gujarat

ETV Bharat / sports

વિરાટ કોહલીના બાળપણના કોચે ઉનડકટના વખાણ કર્યા, કહ્યું ટીમ ઈન્ડિયામાં મળવી જોઈએ તક

વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ કહ્યું હતું કે, 'હું રણજી ટ્રોફીમાં જીત મેળવવા માટે સૌરાષ્ટ્રની ટીમને શુભેચ્છા આપું છું. ખાસ કરીને જયદેવ ઉનડકટ, જેમણે બોલિંગમાં મહત્ત્વનો સ્પેલ ફેંકીને આ મેગા ઇવેન્ટમાં 67 વિકેટ ઝડપી હતી.'

By

Published : Mar 16, 2020, 4:43 PM IST

etv bharat
etv bharat

નવી દિલ્હી: રણજી ટ્રોફીને સત્ર 2019-20માં નવી ચેમ્પિયન ટીમ મળી છે. સૌરાષ્ટ્રની ટીમેે પ્રથમ વખત રણજી ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. સૌરાષ્ટ્રની આ જીતમાં સૌથી મોટું યોગદાન કેપ્ટન જયદેવ ઉનડકટનું રહ્યું છે. તે આ વખતની રણજી ટ્રોફી સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે.

ઉનડકટે સૌરાષ્ટ્રને પ્રથમ વખત રણજી ટ્રોફી અપાવ્યા બાદ કહ્યું કે, મારી અંદર હજુ પણ ભારતીય ટીમમાં પરત ફરવાની ઈચ્છા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માનું કહેવું છે કે, જયદેવ ઉનડકટને ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈએ.

રાજકુમાર શર્માએ કહ્યું કે, હું સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શન માટે શુભકામના પાઠવું છું. જયદેવ ઉનડકટ જેમણે મહત્વપૂર્ણ સ્પેલ ફેક્યો અને આ મેગા ઈવેન્ટમાં 67 વિકેટ ઝડપી છે. ઉનડકટને ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈએ.

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ કહ્યું કે, હું સહમત છું કે, ઉનડકટ બોલિગ સારી છે. ભારતીય ટીમમાં પસંદગી માટે રણજી ટ્રોફીના પ્રદર્શનને પણ મહત્વ આપવું જોઈએ. ઉનડકટ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સનો ખેલાડી છે.

ABOUT THE AUTHOR

...view details