નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે, કોરોના વાઈરસ પછીની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે આ વર્ષના અંતે ભારત માટે ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેવી કેટલું મહત્વપૂર્ણ છે. હવે બીસીસીઆઈના ખજાનચી અરુણ ધૂમલે મોટી રાહત આપતા કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા ગયા પછી બે સપ્તાહનું ક્વોરનટાઈન કોઈ મોટી સમસ્યા રહેશે નહી.
અરુણ ધૂમલે કહ્યું કે, "આમાં કોઈ વિકલ્પ નથી. દરેકને તે કરવાનું છે. તમારે ક્રિકેટ શરૂ કરવું છે, બે અઠવાડિયા મોટી વાત નથી. જ્યારે તમે આટલા લાંબા સમય સુધી ક્વોરેન્ટાઇનમાં રહો જ છો તો, પછી તમે બીજા દેશમાં જાવ છો અને તમારે બે અઠવાડિયા સુધી લોકડાઉનમાં રહેવું પડે એ કોઈપણ ખેલાડી માટે યોગ્ય છે. લોકડાઉન પછી શું નિયમો હશે તે જોવું રહ્યું."
શિડ્યુલ મુજબ ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતે ચાર ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ T-20 મેચ રમવાની છે. અરૂણ ધૂમલે કહ્યું કે, તે શક્ય છે, પરંતુ વધુ મર્યાદિત ઓવર ક્રિકેટ રમવાથી વધુ આવક થશે.