ગુજરાત

gujarat

ETV Bharat / sports

ક્રિકેટર સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી - cricket news

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાઈલીશ બેટ્સમેન સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. તેમણે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નિવૃતિના નિર્ણય બાદ નિવૃતિની જાહેરાત કરી છે.

Suresh Raina
Suresh Raina

By

Published : Aug 15, 2020, 9:53 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. મહેન્દ્ર સિંહ ધોનીના નજીક રહેલા સુરેશ રૈનાએ ધોનની નિવૃતિ બાદ પોતે પણ નિવૃતિની ઘોષણા કરી હતી.

સુરેશ રૈના

સુરેશ રૈનાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને કહ્યું કે, ‘તમારી સાથે રમવાનું મને ખૂબ ગમ્યું મહેન્દ્ર સિંહ ધોની. પુરા ગર્વ સાથે હું તમારી આ યાત્રામાં સામેલ થઇ રહ્યો છું. ધન્યવાદ ભારત. જય હિન્દ.’

ધુઆંધાર બેટ્સમેન સુરેશ રૈના પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 17 જુલાઈ 2018ના રોજ રમ્યો હતો, જે બાદ સુરેશ રૈનાનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

આ પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. માહી પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ ન્યૂઝિલેન્ડ સામે ઈગ્લેન્ડ ખાતે વર્ડકપ 2019ની સેમિફાઈનમાં રમ્યો હતો. જે બાદ આરામના બહાને તે ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details