ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતીય ક્રિકેટર આર.અશ્વિનની etv ભારત સાથે ખાસ વાતચીત - અશ્વિન રવિચંન્દ્ર ન્યૂઝ

હૈદરાબાદઃ સ્પોર્ટસ સ્કુલ ગૉડિયમ સ્પોર્ટોરિયાએ જેન- નેક્સ્ટ ક્રિકેટ ઈન્ટીસ્યુટની સાથે મળી પોતાની ક્રિકેટ એકેડમીનું રવિચંદ્ર અશ્વિનની હાજરીમાં શરુઆત કરી હતી. આ દરમિયાન રવિચંદ્ર અશ્વિને ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

ભારતીય ક્રિકેટર આર.અશ્વિન

By

Published : Nov 8, 2019, 2:54 PM IST

રવિચંદ્ર અશ્વિને ક્રિકેટમાં પોતાનું કરિયર બનાવવા અંગે જણાવ્યું હતું કે, "મારો જન્મ 1986માં થયો. એના થોડાક જ વર્ષ પહેલાં ભારતે 1983માં વિશ્વકપ જીત્યો હતો. મારા પિતા ક્રિકેટ પ્રેમી હતા. તે પોતે પણ ક્રિકેટ રમતા હતા. પરંતુ કોઈ કારણસર તે ક્રિકેટમાં આગળ વધી ન શક્યાં. એટલાં માટે મને લાગ્યું કે ક્રિકેટમાં જોડાવવું ઘણું અઘરું છે."

ભારતીય ક્રિકેટર આર.અશ્વિનની etv ભારતની ખાસ વાતચીત

ક્રિકેટ જગતમાં પ્રવેશ વિશે અશ્વિને કહ્યું હતું કે, "જ્યારે હું ટીવી પર મેચ જોતો હતો , ત્યારે પિતાને પૂછતો કે, હું ઈન્ડિયા માટે ક્યારે રમી શકીશ? ત્યારે તેઓ કંઈ ન બોલતાં."

એક ઉમદા બોલર તરીકે પોતાની અગલ ઓળખ ઉભી કરવા વિશે અશ્વિને જણાવ્યું કે, "સાચું કહું જ્યારે મને લાગ્યું કે હું રમી શકું છું, ત્યારે મારું સપનું ફક્ત એટલું હતું કે, હું ભારતીય ટીમનું ટી-શર્ટ પહેરું."

કારર્કિદીના ઉતાર-ચઢાવ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, "મારી દરેક વિકેટ જે મેં રણજી ટ્રૉફીમાં, IPL અને ઈન્ટનેશલ મેચમાં લીધેલી વિકેટ. બધી મારા માટે મહત્વની છે. મારા જીવન એવી કોઈ ઘટના બની નથી, જેનાથી મને ક્રિકેટ છોડવાનો વિચાર આવે. કારણ કે, હું જીવનમાં મળતાં સારાં-નરસાં દરેક અનુભવમાંથી કંઈકને કંઈક શીખું છું."

ક્રિકેટમાં પોતાના ભાવિ વિશે વાત કરતાં તેણે જણાવ્યું કે, "હું 50 વર્ષ સુધી ક્રિકેટ રમીશ. એટલે હજુ હું 17 વર્ષ સુધી ક્રિકેટ રમી શકીશ."

આમ, ભારતીય ક્રિકેટર ટીમના રવિચંદ્ર અશ્વિનને પોતાના જીવન અને ક્રિકેટના અનુભવ વિશે રસપ્રદ વાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details