ગુજરાત

gujarat

ETV Bharat / sports

મારા પર પ્રતિબંધ મૂકવાનું કારણ હું જાણતો નથી: અઝરૂદિન - BCCI

મોહમ્મદ અઝરૂદિને પોતાના પર લાગેલા બેન અને કાયદાકીય લડાઇને લઇને કહ્યું કે, તેના માટે તે કોઇને દોષીત જાહેર કરવા માગતા નથી. તેને ખબર નથી કે તેના પર પ્રતિબંધ કેમ લાદ્યો.

મોહમ્મદ અઝરૂદિન
મોહમ્મદ અઝરૂદિન

By

Published : Jul 30, 2020, 3:37 PM IST

કરાચી: ક્રિકેટમાં અઝરૂદિન પર લાગેલા આજીવન પ્રતિબંધના પગલે તેનું જીવન હવે સામાન્ય બની ગયું છે, પરંતુ ભારતના પૂર્વ કેપ્ટનનું કહેવુ છે કે તેને હકીકતમાં ખબર નથી કે તેના પર કેમ પ્રતિબંધ લાદ્યો. ડિસેમ્બર 2000માં BCCIએ મેચ ફિક્સિંગમાં સામેલ થવાને લઇને અઝહર પર પ્રતિબંધ લાદ્યો હતો.

મોહમ્મદ અઝરૂદિન

લાંબી કાયદાકીય પ્રક્રિયા લડ્યા બાદ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે 2012માં તે પ્રતિબંધ પરત લીધો હતો. અઝહરે કહ્યું કે, 'જે કંઇ પણ થયું, તેના લીધે હું કોઇને દોષિ ગણાવવા માગતો નથી. મને નથી ખબર કે મારા પર પ્રતિબંધ કેમ લાગ્યો.‘

તેઓએ કહ્યું, 'પરંતુ મે લડવાનો નિર્ણય લીધો. હૈદરાબાદ ક્રિકેટ સંધના અધ્યક્ષ અને BCCIની વર્ષમાં યોજાયેલી બેઠકમાં ભાગ લેવાથી મને સંતોષ મળ્યો.‘

ABOUT THE AUTHOR

...view details