કિંગ્સ ઈલેવન પંજાબે 14 ફેબ્રુઆરી 2019માં પુલવામા આંતકી હુમલામાં શહીદ થયેલા પંજાબ અને હિમાચલ પ્રદેશના પાંચ જવાનોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય કરી છે.
IPL પહેલા કિંગ્સ ઈલેવન પંજાબે જીત્યું લોકોનું દિલ, જાણો કારણ... - crpf
ચંદીગઢ: IPLની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબે પુલવામાઆતંકી હુમલામાં શહીદ થયેલા જવાનાનો પરિવારોને પાંચ-પાંચ લાખની સહાય કરી છે. ટીમના કેપ્ટને રવિચંદ્રન અશ્વિન અને CRPFના ડી.આઈ.જી વીકે કૌંદલની હાજરીમાં શહીદોના પરિવારે પાંચ લાખની સહાય કરી છે.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી 2019માં જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. જેમાં પાંચ જવાન હિમાચલ અને પંજાબના હતા. કિગ્સ ઈલેવન પંજાબે અશ્વિન અને વી.કે કૌંદલની હાજરીમાં શહીદ થયેલા જવાન જયમલ સિંહ, સુખજિંદર સિંહ, મનિંદર સિંહ, કુલવિંદર, સિંહ, અને તિલક રાજના પરિવારોને ચેક આપ્યા હતા.
Last Updated : Mar 20, 2019, 11:04 PM IST