ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2020: ટૂર્નામેન્ટમાં દર 5મા દિવસે ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે - કોવિડ-19 આરટી-પીસીઆર

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં ભાગ લેનારા ખેલાડીઓ અને સહયોગી સભ્યોએ UAEમાં મેચ શરૂ થયા પહેલાં કોવિડ-19 તપાસમાં નેગેટિવ આવવું પડશે.

ETV BHARAT
IPL 2020: ટૂર્નામેન્ટમાં દર 5માં દિવસે ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે

By

Published : Aug 4, 2020, 6:26 PM IST

નવી દિલ્હીઃઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં ભાગ લેનારા ખેલાડીઓ અને સહયોગી સભ્યોએ UAEમાં મેચ શરૂ થયા પહેલાં કોવિડ-19 તપાસમાં નેગેટિવ આવવું પડશે અને ટૂર્નામેન્ટ શરૂ થયા બાદ દર 5માં દિવસે કોરોનાની તપાસ કરાવવી પડશે.

BCCIના એક અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, તમામ ભારતીય ખેલાડીઓ અને સહયોગી સ્ટાફને ભારતમાં પોતાની ટીમ સાથે જોડાવવાના એક અઠવાડિયા પહેલાં 24 કલાકના અંતરમાં 2 વખત કોવિડ-19 આરટી-પીસીઆર પરીક્ષણ કરવું પડશે. ત્યારબાદ ખેલાડી(ભારતમાં) 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેશે. તપાસમાં કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો, તેમને 14 દિવસ માટે આઈસોલેશનમાં રહેવું પડશે.

19 સપ્ટેમ્બરથી શરૂ થાનારા IPL માટે UAE જવા પહેલાં ખેલાડીને આઈસોલેશન સમય પૂર્ણ થયાના 24 કલાકમાં 2 વખત કોવિડ-19 આરટી-પીસીઆર તપાસમાં નેગેટિવ આવવું પડશે. અધિકારીએ જણાવ્યું કે, UAE પહોંચ્યા બાદ ખેલાડી અને સહાયક કર્મચારીઓને એક અઠવાડિયા સુધી આઈસોલેશનમાં રહેવા સમયે 3 વખત કોવિડ-19ની તપાસ કરાવવી પડશે. આ ઉપરાંત ત્રણેય વખત રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ ખેલાડીને રમવાની તક મળશે.

તેમણે કહ્યું કે, આ મુદ્દે ટીમો પાસેથી પ્રતિક્રિયા મળવાના આધારે આ પ્રોટોકોલમાં સામાન્ય ફેરફાર થઇ શકે છે, પરંતુ ખેલાડીઓ અને ટીમ અધિકારીઓની સુરક્ષા સાથે કોઈ પ્રકારની બાંધ-છોડ નહીં કરે. UAEમાં પ્રથમ અઠવાડિયાના પ્રવાસ દરમિયાન ટીમના ખેલાડીઓ અને અધિકારીઓને હોટલમાં એક-બીજાને મળવાની પરવાનગી નથી. તપાસમાં ત્રણ વખત નેગેટિવ આવ્યા બાદ જ તેમને ટૂર્નામેન્ટમાં જૈવિક રીતે સુરક્ષિત વાતાવરણમાં રમવાની પરવાનગી મળશે.

વિદેશી ખેલાડીયોના સીધા UAE પહોંચવા અંગે તેમણે જણાવ્યું કે, તમામ વિદેશી ખેલાડીઓ અને સહયોગી સ્ટાફને પણ UAE માટે આવ્યા અગાઉ કોવિડ-19 આરટી-પીસીઆર તપાસ કરાવવી પડશે.

UAEમાં ખેલાડીઓ અને સહાયક કર્મચારીની આઈસોલેશન દરમિયાન પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા દિવસે તપાસ કરવામાં આવશે. આમાં નેગેટિવ આવ્યા બાદ 53 દિવસ ચાલનારા ટૂર્નામેન્ટમાં દર 5માં દિવસે તેમની તપાસ કરવામાં આવશે. BCCI પરીક્ષણ પ્રોટોકોલ ઉપરાંત ટીમ પોતાની રીતે UAE સરકાર દ્વારા લાગૂ નિયમો હેઠળ વધારાનું પરીક્ષણ કરાવી શકશે.

ABOUT THE AUTHOR

...view details