પસંદગી સમિતિ એ પણ નક્કી કરશે કે વિરાટ કોહલી સીરીજમાં સામેલ થશે કે પછી તેમને આરામ આપવામાં આવે. કારણ કે તે વિશ્વ કપ બાદ સતત રમા રહ્યો છે. રીષભ પંત માટે આ એક મેક યા બ્રેક સીરીજ પણ થશે. કારણ કે ડાબા હાથના બલ્લેબાજ પંત પસંદકર્તાઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં રમાયેલ ટેસ્ટ સીરીજમાં પંતની સ્થાને રિદ્ધિમાન સાહાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
જસપ્રીત બુમરાહ અને હાર્દિક પાંડ્યા ઈજાના કારણે ટીમથી બાહર છે. ત્યારે બાંગ્લાદેશનો ભારત પ્રવાસ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે બાંગ્લાદેશના ખેલાડી પોતાની માંગોને લઈ સ્ટ્રાઈક પર છે. જો વિરાટ કોહલીને આરામ આપવામાં આવે તો વાઈસ કેપ્ટન રોહિત શર્મા ટીમની આગેવાની કરશે. જોકે વિરાટની ગેરહાજરીમાં ભારતના નંબર ત્રણ કોન હશે એ મોટો સવાલ છે. કે. એલ. રાહુલ જે બેકઅપ ઓપનરના રુપમાં ટીમ છે. ત્રણ નંબર પર રમી શકે છે. રોહિત અને ધવનની જોડી ઓપનર તરીકે સારુ રમી રહ્યા છે, પરંતુ ધવનનું ફોર્મ હજુ પણ ચિંતાનો વિષય છે.
હાલના દિવસોમાં ટીમ ઈન્ડીયા માટે સીમિત ઓવરનો ક્રિકેટમાં ચોથા નંબર પર શ્રેયસ અય્યરે પોતાના પ્રર્દશનથી પ્રભાવિત કર્યા છે. ટીમ સંચાલન અય્યરને એક વધુ ચાન્સ આપશે. મનીષ પાંડે વિજય હજારે ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં દેખાયા છે. તેમણે વેસ્ટઈન્ડીઝ શ્રેણીમાં મોકો ન મળ્યો પરંતુ બની શકે છે કે ટીમ સંચાલન તેમને બલ્લેબાજી ક્રમમાં નીચે ચાન્સ આપે.
હંમેશા સમાચારમાં રહેનારા રીષભ પંત પોતાના પ્રદર્શનમાં સુધારો કરતા નથી, તેથી ટીમમાં સ્થાન મેળવવું તેમના માટે મુશ્કેલ બની શકે છે. ઘણા વિકેટકિપર બેટ્સમેન તેની જગ્યા લેવા માટે લાઇનમાં છે. જેમાં સંજુ સેમસન એક મજબૂત દાવેદાર છે. તાજેતરમાં સંજુએ વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારી છે. તેને ટૂંક સમયમાં ટીમમાં તક મળી શકે છે.
હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ભારત હંમેશાં એક સારો ઓલરાઉન્ડરની કમી રહે છે. રવીન્દ્ર જાડેજાએ રમતના ટૂંકા ગાળામાં સારુ પ્રદર્શન કર્યું છે. તે જ સમયે, કૃણાલ પંડ્યા વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી -20 શ્રેણીમાં મેન ઓફ ધ સિરીઝ હતો. હાર્દિકનો વિકલ્પ શોધવાના પ્રયાસમાં ટીમ મેનેજમેન્ટ શિવમ દુબેને તક આપી શકે છે. શિવમ આઈપીએલની છેલ્લી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો. મુંબઈનો આ ઓલરાઉન્ડર સતત ઘરેલુ ક્રિકેટમાં સારો દેખાવ કરી રહ્યો છે.