લંડનઃ ભારતી મહિલા ક્રિકેટ ટીમ કોવિડ-19 મહામારીના કારણે ઈંગ્લેન્ડના પ્રવાસથી હટી ગઇ છે. મીડિયા અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડમાં જૂનમાં આંતરરાષ્ટ્રીય ત્રણ વન ડે અને 3 T-20 સિરીઝ રમવાની હતી. જેને કોરોના મહામારીના કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ(ECB)એ જાહેરાત કરી હતી કે, તે સપ્ટેમ્બરમાં ત્રિકોણીય સિરીઝના આયોજન માટે ભારત અને દક્ષિણ આફ્રીકાની પોતાની સમકક્ષ ટીમોના સંપર્કમાં છે.