ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારત-બાંગ્લાદેશ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે - Bangladeshi cricket team in India in 2019

કોલકત્તા: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) આગામી મહિને કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે રાજી થયું છે. આ બાંગ્લાદેશ અને ભારત બંનેની પ્રથમ ડે-નાઈટ મેચ હશે. ભારતમાં રમાનાર આ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ છે. પરંતુ, ભારતીય ટીમ આ પહેલા ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા રાજી ન હતું.

india

By

Published : Oct 29, 2019, 9:12 PM IST

ભારતીય ક્રિકટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ BCCI અધ્યક્ષનું પદ સંભાળતાની સાથે ડે-નાઈટ ટેસ્ટ રમાવાને લઈને કેપ્ટન કોહલીને મનાવી લીધો હતો.

બાંગ્લાદેશી ટીમ

BCBએ મંગળવારે BCCIના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.

બાંગ્લાદેશની ટીમના કોચ રસેલ ડોમિંગોએ કહ્યું કે, ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારતની સામે આ મોટી મેચ હશે. આ શાનદાર તક છે. ભારતે પણ હજુ સુધી ડે-નાઈટ ટેસ્ટ નથી રમી. આ બંને ટીમો માટે નવું છે અને બંનને એકબીજાને નજીક લાવશે.

ભારતીય ટીમ

આ પણ વાંચો...બાંગ્લાદેશની સામે ટેસ્ટ અને T-20 માટે ભારતીય ટીમ જાહેર

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હંમેશા પિંક બોલ ક્રિકેટની વકિલાત કરી છે. ગાંગુલી 2016-17માં જ્યારે ટેકનીકલ સમિતિના સભ્ય હતાં, ત્યારે તેમણે ઘરેલૂ ક્રિકેટમાં પિંક બોલના ઉપયોગની ભલામણ કરી હતી. ગાંગુલીએ તે સમયે ડે-નાઈટ ટેસ્ટની વકાલત કરી હતી.

BCCIના અધ્યક્ષના મત મુજબ ડેનાઈટ ટેસ્ટ મેચથી ટેસ્ટ ક્રિકેટને વધારે દર્શકો મળશે, રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બાદ કેપ્ટન કોહલીએ દર્શકોની ઓછી સંખ્ચાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. કોહલી જે બાદ ભારતમાં પાંચ ટેસ્ટ સેન્ટર બનાવવાની વાત કરી હતી.

આ પણ વાંચો...જાણો BCCIના અધ્યક્ષ તરીકે ગાંગુલીના રોલની સંપૂર્ણ માહિતી...

બાંગ્લાદેશી ટીમ બુધવારે ભારતના પ્રવાસે આવશે. તે ભારત સામે ત્રણ T-20 અને બે ટેસ્ટ મેચ રમશે. આ સીરિઝની બીજી ટેસ્ટ 22 નવેમ્બરે રમાશે.

ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રહાણે, હનુમા વિહારી, સહા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમ ગીલ અને રિષભ પંત.

ABOUT THE AUTHOR

...view details