ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની સીરીઝની છેલ્લી T-20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. બંને ટીમની પાસે સીરીઝ જીતવાની તક છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીની બોલિંગ પંસદ કરી છે. રોહિત શર્મા અને રાહલ બેટિંગ કરી રહ્યાં છે.ભારતની પ્રથમ વિકેટ પડી ગઇ છે. ત્યારે રોહિત શર્મા શાહિદ આફ્રિદી અને ક્રિસ ગેલ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 સિક્સ ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે.
હૈદરાબાદમાં રમાયેલી મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના સર્વાધીક ઇનિગ્સની મદદથી ભારત સન્માનજનક ટાર્ગેટ બનાવી જીત હાંસિલ કરી હતી. પરંતુ, તિરુવનંતપુરમમા રમાયેલી બીજી T-20 મેચમાં વિન્ડીઝે આસાનીથી મેચ જીતી અને શ્રેણીની બરોબરી કરી હતી.
આ બંને મેચમાં જો જોવામાં આવે તો ભારતની ફિલ્ડીંગ નિરાશા જનક રહી હતી. બંને મેચમાં ભારતે કેચ છોડ્યા હતાં. બીજા મેચમાં કોહલીએ કહ્યું કે, આ રીતે જ જો ફિલ્ડિંગ થશે તો કોઇ પણ ટાર્ગેટને ચેન્જ નહી કરી શકીએ.