ગુજરાત

gujarat

By

Published : Nov 3, 2019, 5:28 AM IST

Updated : Nov 3, 2019, 10:56 PM IST

ETV Bharat / sports

IND vs BAN: ભારતનો કારમો પરાજય, ભારત સીરીઝમાં 1-0થી પાછળ

નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી ટી-20 મેચ સીરિઝની પહેલી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતી ફીલ્ડીંગ પસંદ કરી હતી. જેમાં ભારતે બાંગ્લાદેશને 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં બાંગ્લાદેશે 7 વિકેટે જીત મેળવી હાંસલ કરી લીધી હતી.

T20 match between India and Bangladesh

બાંગ્લાદેશે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતેની પ્રથમ ટી-20માં ભારતને 7 વિકેટ હરાવ્યું છે. 149 રનનો પીછો કરતાં બાંગ્લાદેશે 7 વિકેટ બાકી રાખતા ટાર્ગેટને ચેઝ કર્યો હતો અને ભારત સામે પ્રથમ ટી-20માં જીત હાંસલ કરી હતી. બાંગ્લાદેશના વિકેટકીપર મુશફિકર રહીમે 60 રન ફટકાર્યા હતાં. જ્યારે સામે છેડે સૌમ્ય સરકારે 39 રન ફટકાર્યા હતાં. આ મેચનો અંતિમ 1 રન બાંગ્લાદેશના કેપ્ટન મુશફિક્કર રહીમે સીક્સર ફટકારીને જીત હાંસલ કરી હતી. આ સીરિઝની બીજી મેચ 7 તારીખે રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ ખાતે રમાશે.

ભારતે 148 રન પર 6 વિકેટ ગુમાવી અને બાંગ્લાદેશે 149 રનનો ટાર્ગેટ આપ્યો છે. જ્યારે જવાબમાં બાંગ્લાદેશના બોલર એસ ઇસ્લામ અને અનિમુવે 2-2 વિકેટ ઝડપી હતી. ડેબ્યુ મેચ કરનાર શિવમ ડુબે 1 રન બનાવીને આઉટ થયો હતો, ત્યારબાદ ભારતની 104 પર 5 વિકેટ ગુમાવી છે.

ભારતે 96 રન પર 4 વિકેટ ગુમાવી છે. જેમાં 41 રન પર ધવન આઉટ થયો છે. જ્યારે હાલમાં શીવમ દુબે અને રીષભ પંત પીચ પર બેટિંગ કરી રહ્યાં છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ફીલ્ડીંગ પસંદ કરી હતી. જેમાં ભારતે 10 રનના સ્કોર પર રોહિત શર્માના રુપે પ્રથમ વિકેટ ગુમાવી હતી, ત્યારબાદ ભારતે રાહુલના રુપે બીજી વિકેટ અને શ્રેયસ ઐયરના રુપે 22 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી.

શાકિબ અલ હસનની ગેરહાજરી અને રાજધાનીનું પ્રદુષણ મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્શનાં મુખ્ય મુદ્દા રહ્યા હતા. બાંગ્લાદેશના કોચ રસેલ ડોમિંગો અને ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું કે, આ મામલે બે માંથી એકેય ટીમ કંઈ કરી શકે તેમ નથી, એટલે તેમને રમત પર ધ્યાન આપવુ જોઈએ.

  • શાકિબ અલ હસનની ગેરહાજરીમાં ઉતરશે બાંગ્લાદેશની ટીમ

બાંગ્લાદેશ માટે આ સીરિઝ મુશ્કેલ રહેશે કેમ કે, વિસ્ફોટક ઑલરાઉન્ડર શાકિબ અલ હસન અને તમીમની ગેરહાજરીમાં રમવું પડશે. છેલ્લા બે ત્રણ વર્ષોમાં આ બંન્ને ટીમમાં મહત્વની ભૂમિકા નિભવી છે. બાંગ્લાદેશની ટીમના કેપ્ટન મહમુદુલ્લાહે શનિવારે જણાવ્યું હતું કે, બેટ્સમેનોના સારા પ્રદર્શન સાથે સારી બોલિંગ કરવી પડશે.

  • રોહિત અને શિખર પર જવાબદારી રહેશે

વિરાટ કોહલીની ગેરહાજરીમાં બેટિંગની જવાબદારી રોહિત અને શિખરના ખભા પર રહેશે. વનડાઉન બેટ્સમેનો અનુભવી નથી માટે આ બંન્ને ઑપનરોએ મજબુત શરૂઆત કરવી પડશે.

  • કેવી રહેશે પિચ

દિલ્હીમાં મેચ હોય ત્યારે બધાની પિચ પર પણ રહે છે. કેમ કે આ ધીમી પીચ છે.

  • સંભવીત ટીમો

ભારત: રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, સંજુ સૈમસન, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, ઋળભ પંત(વિકેટ કીપર), વૉશિંગ સુંદર, ક્રુણાલ પંડ્યા, યુજવેદ્ર ચહલ, રાહુલ ચહર, દીપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર


બાંગ્લાદેશ: મહમુદુલ્લાહ (કેપ્ટન), મોહમ્મદ નઈમ, અફિફ હુસૈન, મોસાદેક હુસૈન, અનિમુલ ઇસ્લામ, લિંટન દાસ, મુશ્ફિકુર રહીમ, અરાફત સની, અલ અમીન હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, શૈફુલ ઇસ્લામ, અબુ હૈદર રોની, મોહમ્મદ મિથુન, તાઇજુલ ઇસ્લામ

Last Updated : Nov 3, 2019, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details