ગુજરાત

gujarat

ETV Bharat / sports

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રવક્તાએ કહ્યું, "અમે IPLની યજમાનીનો પ્રસ્તાવ રાખ્યો નથી"

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રવક્તા રિચાર્ડ બુકે કહ્યું કે, અમે આઈપીએલની યજબાનીનો પ્રસ્તાવ રાખ્યો નથી અને પ્રસ્તાવ રાખવા પણ માગતા ન હતા.

By

Published : Jul 9, 2020, 4:38 PM IST

New Zealand Cricket
New Zealand Cricket

વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડ ક્રિકેટે કહ્યું કે, તેમણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની યજમાનીનો પ્રસ્તાવ રાખ્યો ન હતો. આ વર્ષની આઈપીએલ સીઝન કોવિડ-19ના કારણે સ્થગિત કરવામાં આવી છે. લીગની શરુઆત માર્ચમાં થવાની હતી પરંતુ કોવિડ-19ના કારણે આઈપીએલ સીઝનને થોડા સમયમાટે સ્થગિત કરવામાં આવી છે.

એક મીડિયા રિપોર્ટે જણાવ્યું કે, ભારતમાં કોવિડ-19ની સ્થતિને જોઈ આઈપીએલ 2020નું આયોજન અન્ય કોઈ દેશમાં કરવામાં આવી શકે છે. જેના માટે યુએઈ અને શ્રીલંકામાંથી બંન્નેમાંથી એકની પસંદગી કરવામાં આવશે. બીસીસીઆઈ, આઈસીસી દ્વારા T-20 વર્લ્ડ કપના આયોજનની રાહ જોઈ રહ્યું છે. T-20 વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે ઓસ્ટ્રેલિયામાં થશે, પરંતુ કોવિડ-19 મહામારીને લઈને આયોજન પર વિચારણા કરવામાં આવી છે.

બીસીસીઆઈ અધ્યક્ષે કહ્યું કે, તે આ વર્ષ આઈપીએલ કરાવવા માગે છે. તેમની પ્રાથમિકતા દેશમાં T-20 વર્લ્ડ કપનું આયોજન કરાવવાની છે.

ABOUT THE AUTHOR

...view details