ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય સુરેન્દ્ર ખન્નાએ સુપ્રસિદ્ધ ભારતીય વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની વાપસી અંગે ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ધોનીને વાપસી કરવા માટે ઘરેલું ક્રિકેટ રમવું પડશે.
ETV EXCLUSIVE : ધોનીએ વાપસી કરવા માટે ઘરેલું ક્રિકેટ રમવું પડશે: સુરેન્દ્ર ખન્ના - VIVO IPL 2020 Player
હૈદરાબાદ: ટેસ્ટમાં રિદ્ધિમાન સાહા અને પંતની મેચ અંગે સુરેન્દ્ર ખન્નાએ કહ્યું કે, સાહ માત્ર ભારત નહિ પરંતુ દુનિયાનો સૌથી સારો વિકેટકીપેર છે અને તે ટીમમાંથી બહાર થયો ન હતો. પરંતુ તે ઈજાગ્રસ્ત થયો હતો.
![ETV EXCLUSIVE : ધોનીએ વાપસી કરવા માટે ઘરેલું ક્રિકેટ રમવું પડશે: સુરેન્દ્ર ખન્ના હૈદરાબાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5363616-thumbnail-3x2-sporttttttttttttttttttt.jpg)
ETV BHARAT EXCLUSIVE સાથેની એક વિશિષ્ટ વાતચીતમાં સુરેન્દ્ર ખન્નાએ કહ્યું, "ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવવા માટે ધોની ઘરેલું ક્રિકેટ રમવાનું ખૂબ મહત્વનું છે. સૌ કોઈ જાણે છે કે, તે એક મહાન ક્રિકેટર છે. ગત્ત એક દશકમાં તેમણે ભારત માટે જે કર્યુ છે. તે આંકડા તેમનું પ્રદર્શન સાબિત કરે છે. કે , તે દુનિયાના મહાન ક્રિકેટરમાંથી એક છે. પરંતુ તેમણે ક્રિકેટ રમી તેમનો ઉત્સાહ અને ફિટનેસ તમામ પસંદગીકારોને દેખાડવો પડશે.
કોલકાતામાં 19 ડિસેમ્બરે યોજાનારી આઈપીએલ હરાજી અંગે તેમણે કહ્યું હતું કે, "આઇપીએલ 2020 માટે તમામ ફ્રેન્ચાઇઝી તૈયાર છે.