ગુજરાત

gujarat

ETV Bharat / sports

સનાને આનાથી દૂર રાખો, પુત્રીની CAA વિરૂદ્ધ પોસ્ટ વાયરલ થયા બાદ બોલ્યા ગાંગુલી

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ નાગરિકતા સંશોધન બિલ પર નિશાન સાધતી સના ગાંગુલીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના પર પ્રતિક્રિયા આપતા ગાંગુલીએ કહ્યું કે, તેમની પુત્રીને રાજકારણથી દૂર રાખશે. જાણો શું છે સમગ્ર મામલો....

By

Published : Dec 19, 2019, 2:48 PM IST

નવી દિલ્હી
etv bharat

સંશોધિત નાગરિકતા બિલ પર નિશાન સાધતી સના ગાંગુલીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના પર BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તેમની પુત્રીને રાજકારણથી દૂર રાખશે.

ભારતના પૂર્વ કેપ્ટને કહ્યું કે, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સાચી નથી. તેમણે ટ્વિટ કર્યું કે, સૌ આ સમગ્ર મામલે સનાને દૂર રાખો. તે પોસ્ટ સાચી નથી. તે નાની છે અને રાજકારણથી અજાણ છે.સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામ પોસ્ટનો સ્ક્રિનશોર્ટ વાયરલ થયો છે.

ABOUT THE AUTHOR

...view details