ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર સહન ન કરી શકતા યુવકે આત્મહત્યા કરી

Youth Suicide Case After Team India Loss: ઓડિશાનો એક યુવક વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની હાર સ્વીકારી શક્યો નહિ, આ દુઃખના કારણે તેણે આત્મહત્યા કરવાનું પસંદ કર્યું હતું.

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 5:56 PM IST

Etv BharatYouth Suicide Case After Team India Loss
Etv BharatYouth Suicide Case After Team India Loss

જાજપુર:ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાનઈલ રવિવારે અમદાવાદમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને 42 બોલ બાકી રહેતા આસાનીથી જીત મેળવી હતી. આ હારના કારણે કરોડો ચાહકો દુઃખી થયા. સતત દસ મેચો જીતીને જેમ જેમ ભારત ફાઇનલમાં પહોંચ્યું, ઘણા લોકોએ વિચાર્યું કે, કદાચ આ વખતે ભારતીય ટીમ ટ્રોફી જીતી શકે. પરંતુ તેમ ન થયું અને તેથી ઓડિશાના આ 23 વર્ષના યુવકે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો.

તબીબોએ તેને મૃત જાહેર કર્યો:યુવકનું નામ દેવરંજન દાસ હોવાનું જાણવા મળે છે. દેવરંજનનું ઘર જાજપુર જિલ્લાની જરી પંચાયત હેઠળના કુલસી ગામ છે. સોમવારે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેને ઝડપથી જાજપુર જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પરિવારજનોના જણાવ્યા અનુસાર:દેવરંજનને કેટલીક માનસિક સમસ્યા હતી તેઓ ઘણા દિવસોથી બીમારીથી પીડાતા હતા આ માટે આ યુવકની નિયમિત સારવાર કરવામાં આવી હતી પરિવારના જણાવ્યા મુજબ, દેવરંજન રવિવારે બીજા બધાની જેમ મેચ જોઈ રહ્યો હતો પરંતુ ભારતની હાર બાદ કદાચ તે યુવક પોતાનું માથું ઉંચુ રાખી શક્યો નહીં અને તેથી જ આપઘાત કર્યો ઘટનાની માહિતી મળતાં જ બિંજારપુર પોલીસ સ્ટેશનની સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે, પરંતુ સમગ્ર મામલાની પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે અંગે તેઓ તપાસ કરી રહ્યા છે.

આત્મહત્યા એ ઉકેલ નથી:જો તમને આત્મહત્યાના વિચારો આવે છે, અથવા તમે કોઈ મિત્ર વિશે ચિંતિત છો, અથવા તમને ભાવનાત્મક સમર્થનની જરૂર છે, તો સાંભળવા માટે હંમેશા ત્યાં કોઈ હોય છે. સ્નેહા ફાઉન્ડેશન - 04424640050 (ઉપલબ્ધ 24x7) અથવા iCall, Tata Institute of Social Sciences હેલ્પલાઈન - 9152987821 પર કૉલ કરો, જે સોમવારથી શનિવાર સવારે 8 થી 10 PM સુધી ઉપલબ્ધ છે.

આ પણ વાંચો:

  1. વડાપ્રધાન મોદી ટીમ ઈન્ડિયાની હાર બાદ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા, જાણો વિરાટ અને રોહિતને શું કહ્યું..
  2. ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કરશે કપ્તાની

ABOUT THE AUTHOR

...view details