ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પતિ સાથેના વિવાદો વચ્ચે નિશા રાવલે શેર કરી ઈમોશનલ પોસ્ટ - નિશા રાવલ ઈમોશનલ પોસ્ટ

ટીવી એકટ્રેસ નિશા રાવલ તેના પતિ એક્ટર કરણ મેહરા સાથેના વિવાદોને લઈ લાઈમ લાઈટમાં છે. ત્યારે તેણે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી ફરી એકવાર સૌનું ઘ્યાન આકર્ષયુ છે. પોસ્ટમાં તેણે લખ્યું છે, તે અવરોધોની સાંકળમાંથી આઝાદ થઈ ગઈ છે. મહત્વનું છે કે, 1 જુનના રોજ નિશાએ કરણ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ નોંધાવ્યો હતો.

નિશા રાવલે
નિશા રાવલે

By

Published : Aug 5, 2021, 5:26 PM IST

  • નિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
  • સકારાત્મકતાથી હેન્ડલ કરી રહી છે પરિસ્થિતી
  • 31મેના રોજ કરણ વિરૂદ્ધ નોંધાવી હતી

ન્યૂઝ ડેસ્ક: એક્ટ્રેસ નિશા રાવલના પતિ "યે રિશ્તા ક્યા કહેલાતા હૈ" ફેમ કરણ મેહરા પર મારપિટ અને હેરાનગતિનો આરોપ છે. ત્યારે નિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે તે આ પરિસ્થિતીને કેવી રીતે હેન્ડલ કરી રહી છે. આ પોસ્ટમાં તેણે ગોલ્ડન રંગના ડ્રેસમાં ફોટો શેર કર્યો છે. તેમાં તે ખુબ જ સકારાત્મક જણાઈ રહી છે અને સકારાત્મકતાથી આ તમામ મૂશ્કેલીઓનો સામનો કરી રહી છે, તેવો મસેજ તેના ફેન્સ સુધી પહોંચાડી રહી છે.

નિશા શેર કરી સકારાત્મક પોસ્ટ

તેણે પોસ્ટમાં લખ્યું છે કે, હું એ દરવાજામાંથી બહાર આવી ચૂકી છું, જેમાં અવરાધોની સાંકળે મને જકડી રાખી હતી. હું પહેલાની નિશાને છોડી નથી રહી, પરંતુ પોતાને નવા રૂપમાં સંભાળી રહી છું. આ શક્તિઓથી હું પહેલા અજાણ હતી. હું મારા મન, શરીર અને આત્માનો આભાર માનું છું, કારણને તેઓ હંમેશા મારી સાથે રહ્યા છે. હું જીવનભર મારી પોતાની બેસ્ટી છું.

આ પણ વાંચો- જૂઓ, એક્ટર કરન મેહરા વિરુદ્ધ પત્નિ નિશા રાવલે શા માટે ફરી નોંધાવી ફરિયાદ...

3 મહિના પહેલા થઈ હતી કરણ વિરૂદ્ધ ફરિયાદ

તમને જણાવી દઈએ કે, અભિનેત્રીની ફરિયાદ પર કોરેગાંવ પોલીસ 31 મેની રાત્રે 11 વાગ્યે તેના ઘરે પહોંચી હતી અને કરણ અને નિશાને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. નિશાએ તેના નિવેદનમાં કહ્યું હતું કે, 'તે પરેશાન થઈ બહાર ગયો અને તે પાછા આવી મારું માથું પકડ્યું અને દિવાલમાં ફટકારી દીધું, પછી મને સમજાયું કે મારી સાથે શું થઈ રહ્યું છે અને મેં પોલીસને ફોન કરીને ફરિયાદ કરી.'

ABOUT THE AUTHOR

...view details