ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ટીવી એક્ટર આશિષ રોયને કિડનીની બિમારી, ડાયૅલિસિસ માટે નથી નાણાં - ટીવી એક્ટર આશિષ રોય

ટીવી એક્ટર આશિષ રોય જે ઘણા મહિનાઓથી કિડનીની બિમારીથી પીડાઇ રહ્યો છે. તેણે પોતાના તાજેતરનાં ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હવે તેની પાસે પૈસા પૂરા થઇ રહ્યા છે અને ટૂંક સમયમાં ડાયૅલિસિસ બંધ કરવું પડશે.

ashiesh roy
ashiesh roy

By

Published : Jun 12, 2020, 8:21 PM IST

મુંબઇ: દિગ્ગજ અભિનેતા આશિષ રોય જે 'સસુરલ સિમર કા', 'જીની ઔર જૂજૂ' અને 'કુછ રંગ પ્યાર કે ભી' ની ભૂમિકા માટે જાણીતા છે, તેઓ ઘણા મહિનાઓથી કિડનીની બિમારી સામે ઝઝૂમી રહ્યા છે.

તેઓ હોસ્પિટલથી ઘરે આવી ગયા કારણકે તેઓ બિલની કિંમત ચૂકવી શકે તેમ ન હતા. ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે તેને સર્જરીની જરૂર છે, જેની કિંમત આશરે એક લાખ રૂપિયા છે, પરંતુ હવે તેની પાસે પૈસા બાકી નથી.

ઇન્ટરવ્યુમાં આશિષે કહ્યું હતું કે તે ઘરે જ છે કારણ કે તે હોસ્પિટલનું બીલ ચુકવી શકે તેમ નથી તેમજ ડાયૅલિસિસ કરાવી શકે તેમ નથી. તેણે જણાવ્યું હતું કે તેના શરીરમાંથી મોટાભાગનું વધારાનું પાણી તેના શરીરમાંથી દૂર કરવામાં આવ્યું છે.

આશિષે જણાવ્યું કે તેને એક અઠવાડિયામાં ડાયૅલિસિસના 4 સેશન માટે જવું પડે છે અને તે દરેક 2000 રૂપિયા ખર્ચ કરે છે, જેના કારણે તેના તમામ ભંડોળ ધીમે ધીમે પૂરા થઇ રહ્યા છે.

જો કે, લગભગ 6 મહિનાથી કોવિડ -19 રોગચાળાના કારણે આશિષને કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકતું નથી. તેથી, તેમની પાસે ડાયાલિસિસ પર મોટી રકમ ખર્ચવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

તો અત્યાર સુધીમાં, અભિનેતાને લવ રંજન, હંસલ મહેતા, હબીબ ફૈઝલ અને વિજય કૃષ્ણ આચાર્ય સહિતના ઉદ્યોગના ઘણા લોકોની તેમને સહાય મળી છે.

ABOUT THE AUTHOR

...view details